મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક અણીયારી ટોલનાકા પાસે બોલેરો પલ્ટી જતાં દંપતીના મોત મામલે જમાઈએ નોંધાવી ફરિયાદ


SHARE













માળીયા (મી) નજીક અણીયારી ટોલનાકા પાસે બોલેરો પલ્ટી જતાં દંપતીના મોત મામલે જમાઈએ નોંધાવી ફરિયાદ

મોરબી તાલુકાનાં અણીયારી ગામે માતાજીના મંદિરે થાનના લોકો પરીવાર સાથે બોલેરો ગાડીમાં દર્શન કરવા માટે આવ્યા હતા અને તેઓ દર્શન કરીને પરત થાન જતા હતા ત્યારે અણીયારી ટોલનાકા પાસે બોલેરો પલટી જતાં ગાડીમાં બેઠેલા 12 લોકોને ઇજાઓ થયેલ હતી જેમાંથી વૃદ્ધ દંપતીનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતક દંપતીના જમાઈએ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરોના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા-હળવદ હાઇવે ઉપર આવેલ અણીયારી ટોલનાકા નજીકથી બોલેરો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડી પલટી મારી ગયેલ હતી જેથી કરીને ગાડીમાં બેઠેલા કુલ 22 જેટલા લોકોમાંથી 12 લોકોને ઇજાઓ થયેલ હતી જેમાંથી વૃદ્ધ દંપતીનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક દંપતીના જમાઈ બેચરભાઈ જયંતીભાઈ દુધરેજીયા (22) રહે. રામપરા તાલુકો ધાંગધ્રા વાળાએ બોલેરો ગાડી નંબર જીજે 13 એએક્સ 8779 ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

આ બનાવમાં વિપુલ બાબુભાઈ, જયશ્રીબેન બેચરભાઈ, બેચરભાઈ જયંતીભાઈ, જયંતીભાઈ ભીખાભાઈ, ક્રિયાંશ ઓધવજીભાઈ, નેહા વિપુલભાઈ, વર્ષાબેન વિપુલભાઈ, બળદેવભાઈ રાણાભાઇ, સોનલબેન ઓધવજીભાઈ બાબરીયા, ઓધવજી મુળાભાઈ, મુળાભાઈ વશરામભાઈ બાવળીયા, ભીખાભાઈ બીજલભાઇ ડેડાણીયા અને લધુ વશરામને ઇજાઓ થયેલ હતી. જો કે, ફરિયાદીના સસરા હીરાભાઈ માવજીભાઈ કુડેચા (50) અને સાસુ લક્ષ્મીબેન હીરાભાઈ કુડેચા (50) રહે. બંને થાન વાળને ગંભીર ઇજા થયેલ હોવાથી તે બંનેનું મોત નીપજયું હતું

ઉલેખનીય છે કે, થાન વિસ્તારમાંથી ફરિયાદી સહિતના લોકો બોલેરો ગાડીમાં અણીયારી ગામે માતાજી મંદિરે દર્શન માટે આવ્યા હતા અને ત્યાંથી પરત જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બનેલ હતો અને ઇજા પામેલા લોકોને 108 મારફતે જેતપર સીએચસી અને ત્યાર બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જો કે, આ બનાવ  સંદર્ભે હાલમાં મૃતક દંપતીના જમાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરોના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News