માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું નજીક ન્હાવા ગયેલ યુવાનનું પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત


SHARE

















મોરબીના ઘૂટું નજીક ન્હાવા ગયેલ યુવાનનું પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત

મોરબીના ઘૂટું ગામની સીમમાં પેપરમીલની સામેના ભાગમાં આવેલ પાણીના ખાડામાં યુવાને ન્હાવા માટે ગયો હતો દરમિયાન ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામે ક્રિયાન પેટ્રોલપંપની બાજુમાં રહેતા રમણીકભાઈ પ્રાણજીવનભાઈ વીરપરિયા (36) નામનો યુવાન ઘૂટું ગામની સીમમાં વગડિયા વિસ્તારમાં આવેલ રવીશ પેપરમીલ કારખાના સામે પાણીના ખાડામાં ન્હાવા માટે થઈને ગઈકાલે બપોરના સમયે ગયો હતો દરમિયાન કોઈ કારણોસર તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારે આ બનાવની મૃતકના પરિવારજન કિશોરભાઈ વલ્લભભાઈ વીરપરિયા (45) રહે. ઘૂટું વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.




Latest News