જો તંત્ર બળજબરી કરીને ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઊભા કરશે તો લાલ આંખ કરીને સરદારગીરીથી જવાબ મળશે: નીલેશ એરવાડીયા મોરબીમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી શાંતિ અને સદભાવના સંકલ્પ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા ટંકારાના મેઘપર ઝાલા ગામે થયેલ કાકા-ભત્રીજાની હત્યાના ગુનામાં સ્પેશ્યલ પીપી તરીકે ભગીરથસિંહ ડોડીયાની નિમણૂક મોરબીમાં રાજ્યમંત્રીએ વીજ લાઇન વળતર માટે માર્કેટ રેટ કમિટી બાબતે કલેકટર કચેરીમાં ખેડૂત પ્રતિનિધિઓ સાથે કરી બેઠક મોરબી મહાપાલિકામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક યોજાઈ મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં કારકિર્દી સેમિનાર યોજાશે મોરબી ITI ખાતે અદ્યતન બોયઝ હોસ્ટેલ બિલ્ડિંગનું કુંવરજીભાઈ બાવળિયા-કાંતિભાઈ અમૃતિયાએ કર્યું ખાતમુહૂર્ત મોરબી-રાજકોટ હાઇવે ઉપર બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત વૃદ્ધ રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું નજીક ન્હાવા ગયેલ યુવાનનું પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત


SHARE







મોરબીના ઘૂટું નજીક ન્હાવા ગયેલ યુવાનનું પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત

મોરબીના ઘૂટું ગામની સીમમાં પેપરમીલની સામેના ભાગમાં આવેલ પાણીના ખાડામાં યુવાને ન્હાવા માટે ગયો હતો દરમિયાન ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામે ક્રિયાન પેટ્રોલપંપની બાજુમાં રહેતા રમણીકભાઈ પ્રાણજીવનભાઈ વીરપરિયા (36) નામનો યુવાન ઘૂટું ગામની સીમમાં વગડિયા વિસ્તારમાં આવેલ રવીશ પેપરમીલ કારખાના સામે પાણીના ખાડામાં ન્હાવા માટે થઈને ગઈકાલે બપોરના સમયે ગયો હતો દરમિયાન કોઈ કારણોસર તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારે આ બનાવની મૃતકના પરિવારજન કિશોરભાઈ વલ્લભભાઈ વીરપરિયા (45) રહે. ઘૂટું વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News