મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના કાંતિનગરમાં આવેલ ભંગારના ડેલામાંથી ૨૮,૯૦૦ ના પીતળ-તાંબાના ભંગારની ચોરી કરનાર બે પૈકી એક પકડાયો


SHARE







મોરબીના કાંતિનગરમાં આવેલ ભંગારના ડેલામાંથી ૨૮,૯૦૦ ના પીતળ-તાંબાના ભંગારની ચોરી કરનાર બે પૈકી એક પકડાયો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં માળીયા ફાટક ચોકડી પાસે આવેલ કાંતિનગર નજીકના ભંગારના ડેલામાંથી પીતળ અને તાંબાના ભંગારની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભંગારના ડેલા વાળાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેથી કરીને પોલીસે હાલમાં ચોરાઉ મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં માળીયા ફાટક ચોકડી પાસે આવેલ કાંતિનગરમાં મસ્જિદની બાજુમાં રહેતા અને ભંગારનો ડેલો ધરાવતા જમાલશા  રહેમાનશા શાહમદાર (ઉંમર ૫૦) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુલેમાન હૈદરભાઈ જેડા અને ફતેમામદ તાજમામદ જામ રહે.બંને માળીયા મીયાણાવાળાની સામે ચોરીની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડી લીધા છે હાલ જમાલશા દ્વારા જે ફરિયાદ નોંધાવાઈ છે તેમાં તેમણે જણાવ્યું છે કે તારીખ ૨૨-૧૧ ના રોજ રાત્રિના સમયે આરોપીઓ આર્ટિગા ગાડી લઈને તેમંના ભંગારના ડેલે આવ્યા હતા અને ત્યાંથી ૨૦ કિલો તાંબુ અને ૩૦ કિલો પિત્તળનો ભંગાર ચોરી કરી ગયા હતા આમ કુલ મળીને ૨૮,૯૦૦ રૂપિયાની કિંમતના ભંગારની બન્ને શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હોય પોલીસે જમાલશાની ફરિયાદના આધારે સુલેમાન અને ફતેમામદની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક ચોરી 

મોરબી શહેરના સાવસર પ્લોટ વિસ્તારની અંદર આવેલા આયુષ હોસ્પિટલવાળી શેરીમાં મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર સોસાયટીમાં રહેતા ધવલભાઇ નરભેરામભાઈ વસિયાણી જાતે પટેલ (૩૦) એ પોતાનું બાઇક નંબર જીજે ૩ ઈડી ૯૫૯૭ પાર્ક કરીને મૂક્યું હતું જે વીસ હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા ધવલભાઇએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.






Latest News