મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

માળિયા (મીં)ના ભાવપર ગામે ચક્કર આવતા મગફળીના મશીનમાં પડી જતા યુવાનનું મોત


SHARE











માળિયા (મીં)ના ભાવપર ગામે ચક્કર આવતા મગફળીના મશીનમાં પડી જતા યુવાનનું મોત

માળિયા તાલુકાના ભાવપર ગામે મગફળીના મશીન ઉપર યુવાન ઊભો હતો ત્યારે તેને ચક્કર આવતા તે મશીનમાં પડી ગયો હતો અને તેનું મૃત્યુ નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકાના ભાવપર ગામની સીમમાં મગફળીના મશીન ઉપર રાજુભાઈ માલાભાઈ મેડા જાતે આદિવાસી (ઉંમર ૧૮) ઉભો હતો ત્યારે તેને ચક્કર આવતા તે મશીનમાં પડી ગયો હતો અને મશીનમાં પડી જવાના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે.

ઊંઘની દવા પીધી

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ શ્યામ પાર્ક સોસાયટીની અંદર રહેતા જય રમેશભાઇ ટેશિયાના પત્ની અંજલીબેન (૨૮) સગર્ભા હોય તેઓની દવા ચાલી રહી છે તે દરમિયાન તેઓ ભૂલથી ઊંઘની દવા પી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે તેઓના પતિ જય કટેશીયા રાજકોટની સિનરજી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પરિણીતાનો લગ્નગાળો પાંચ વર્ષનો હોવાનું હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.






Latest News