ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જેહમતથી અકસ્માત કેસમાં વીમેદારને રકમ મળી


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જેહમતથી અકસ્માત કેસમાં વીમેદારને રકમ મળી

મિતાણાના વતની મોહનભાઈ ખીમાભાઈ સોલંકીની રીક્ષા લઇને કેતનભાઈ ટંકારાથી મિતાણા આવતા હતા.ત્યારે કેતનભાઈની રીક્ષા ઉભેલા ટ્રક સાથે ભટકાતા નુકશાન થયેલ તેનો વિમો શ્રી રામ જનરલ ઈન્સ્યુ. કુા. નો હતો.વિમા કંપનીએ વિમો આપવાની ના પાડતા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે રીક્ષા નુકશાની ના રૂા. ૪૨,૩૨૫ ને ૬ ટકાના વ્યાજ અને રૂા. ૫૦૦૦ ખર્ચના તા ૩૧-૮-૨૩ થી ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, મિતાણાના વતની મોહનભાઈ ખીમાભાઈ સોલંકીની રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૬૧૭૧ વાળી રીક્ષા ચાલક કેતનભાઈ ટંકારાથી મિતાણા આવતા હતા.ત્યારે શીવ પેલેસ હોટલ પાસે કેતનભાઈએ રીક્ષા ઉપરથી કાબુ ગુમાવતા ત્યાં ઉભેલા ટ્રક સાથે રીક્ષા ભટકાયેલ જેથી કેતનભાઈને માથામાં અને વિશાલભાઈને પગમાં ઈજા થયેલ.તેમજ રીક્ષાને રૂા.૫૨,૦૦૦ નું નુકશાાન થયેલ.મોહનભાઈએ વિમાના તમામ કાગળો સમય મર્યાદામાં શ્રીરામ જનરલ ઈન્સ્યુરન્સમાં આપી દીધેલ.પણ રાબેતા મુજબ વિમા કંપનીએ વિમાની રકમ આપવાની ના પાડી દીધેલ.બાદમાં મોહનભાઈએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા મારફત મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરેલ અને અદાલતે વિમા કંપનીની કોઈ વાત માન્ય રાખી નહીં અને મોહનભાઈએ રીક્ષાના ખર્ચના બીલ આપેલ તે મુજબ રૂા.૪૨, ૩૨પ તેમજ રૂા. ૫૦૦૦ અન્ય ખર્ચના ૬ ટકાના વ્યાજ સાથે તારીખ ૩૧-૮-૨૩ થી ચુકવવાનો અદાલતે વિમા કંપનીને હુકમ કરેલ છે. ગ્રાહકે પોતાના હકક માટે લડત કરવી જોઈએ.છતાં કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાંવેલ છે.






Latest News