મોરબી આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા શરૂ, ૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
મોરબીમાં જગદગુરૂ શ્રી મહાપ્રભુજીનો ૫૪૮ મો પ્રાગટય મહોત્સવ ઉજવાશે
SHARE
મોરબીમાં જગદગુરૂ શ્રી મહાપ્રભુજીનો ૫૪૮ મો પ્રાગટય મહોત્સવ ઉજવાશે
આગામી ચૈત્રવદ અગિયારસને તા.૨૪-૪-૨૫ ને ગુરૂવારના રોજ મોરબીની શ્રી મહાપ્રભુજીના બેઠકજી (સામાંકાઠે) મોરબીમાં પુષ્ટી માર્ગના પ્રવર્તક જગદગુરૂ શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય મહોત્સવ ઉજવવામાં આવશે.
જેમાં પ્રબોધ સમય જાગ્યાના દર્શન સવારે ૭ કલાકે, મંગલાના દર્શન સવારે ૭-૩૦ કલાકે, શ્રીંગારના દર્શન સવારે ૮ કલાકે, રાજભોગના દર્શન બપોરે ૧ કલાકે, નંદમહોત્સવ અને તિલક દર્શન બપોરે ૩ કલાકે થશે.તેમજ અપરસમાં ઝારી ચરણસ્પર્શ સવારે ૭ કલાકથી બપોરના ૧ કલાક સુધીનો રહેશે.પ્રાગટય દર્શન બપોરે ૩ કલાકથી સાંજે ૭ કલાક સુધી થશે.માટે મોરબીની સકલ વૈષ્ણવ સૃષ્ટિ અને સનાતન ધર્મ પ્રેમી ભાઈ-બહેનોને પ્રાગટય મહોત્સવના દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયેલ છે.