મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં જગદગુરૂ શ્રી મહાપ્રભુજીનો ૫૪૮ મો પ્રાગટય મહોત્સવ ઉજવાશે


SHARE













મોરબીમાં જગદગુરૂ શ્રી મહાપ્રભુજીનો ૫૪૮ મો પ્રાગટય મહોત્સવ ઉજવાશે

આગામી ચૈત્રવદ અગિયારસને તા.૨૪-૪-૨૫ ને ગુરૂવારના રોજ મોરબીની શ્રી મહાપ્રભુજીના બેઠકજી (સામાંકાઠે) મોરબીમાં પુષ્ટી માર્ગના પ્રવર્તક જગદગુરૂ શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટય મહોત્સવ ઉજવવામાં આવશે.

જેમાં પ્રબોધ સમય જાગ્યાના દર્શન સવારે ૭ કલાકે, મંગલાના દર્શન સવારે ૭-૩૦ કલાકે, શ્રીંગારના દર્શન સવારે ૮ કલાકે, રાજભોગના દર્શન બપોરે ૧ કલાકે, નંદમહોત્સવ અને તિલક દર્શન બપોરે ૩ કલાકે થશે.તેમજ અપરસમાં ઝારી ચરણસ્પર્શ સવારે ૭ કલાકથી બપોરના ૧ કલાક સુધીનો રહેશે.પ્રાગટય દર્શન બપોરે ૩ કલાકથી સાંજે ૭ કલાક સુધી થશે.માટે મોરબીની સકલ વૈષ્ણવ સૃષ્ટિ અને સનાતન ધર્મ પ્રેમી ભાઈ-બહેનોને પ્રાગટય મહોત્સવના દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયેલ છે.






Latest News