મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના દીઘડીયા ગામે જમીનમાં ભાગ પાડવાની વાત કરવા ગયેલા યુવાન સહિત ચાર વ્યક્તિ ઉપર ચાર શખ્સોનો ધારિયા, પાવડા અને લાકડી વડે હુમલો


SHARE













હળવદના દીઘડીયા ગામે જમીનમાં ભાગ પાડવાની વાત કરવા ગયેલા યુવાન સહિત ચાર વ્યક્તિ ઉપર ચાર શખ્સોનો ધારિયા, પાવડા અને લાકડી વડે હુમલો

હળવદના દીઘડીયા ગામે રહેતો યુવાન વડીલો પાર્જિત ભાઈયુ ભાગની જમીનમાં ભાગ પાડવા બાબતે વાતચીત કરવા માટે થઈને ગયો હતો ત્યારે તેના કૌટુંબિક ભાઈઓ સહિતનાઓ દ્વારા તેના ઉપર ધારિયા, પાવડા અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાન સહિત કુલ ચાર વ્યક્તિઓને શરીર ઉપર આડેધડ મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા રાજુભાઈ રણછોડભાઈ નંદેસરીયા (૩૮)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શંકરભાઈ પ્રભુભાઈ નંદેસરીયા, બાબુભાઈ પ્રભુભાઈ નંદેસરિયા, જગદીશભાઈ બાબુભાઈ નંદેસરિયા અને સંજયભાઈ બાબુભાઈ નંદેસરીયા રહે. બધા દીઘડીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તથા આરોપીઓની સહિયારી વડીલો પાર્જિત જમીન આવેલ છે અને તે જમીનમાં ભાગ પાડવા બાબતે ફરિયાદી તથા સાહે સંજયભાઈ આરોપીઓ પાસે વાતચીત કરવા માટે થઈને ગયા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદી તથા સાહેને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા શંકરભાઈ અને સંજયભાઈએ ધારીયા વડે તથા બાબુભાઈએ પાવડા અને જગદીશભાઈએ લાકડી વડે હુમલો કર્યો હતો અને ત્યારે શંકરભાઈએ તેના હાથમાં રહેલ ધારીયા વડે ફરિયાદીને માથામાં મારમારીને ઈજા કરી હતી જ્યારે સંજય બાબુભાઈ નંદેસરિયાએ સાહે સંજયભાઈને માથામાં ધારિયાનો ઘા માર્યો હતો અને ચારેય વ્યક્તિઓએ ભેગા મળીને ફરિયાદી તથા સાહેને આડેધડ મારતા બંને પગમાં, ખભામાં તથા માથામાં ઇજાઓ થઈ હતી અને સાહે સંજયભાઈને માથામાં હેમરાજ જેવી ઈજા થયેલ છે અને અન્ય સાહે રમેશભાઈ તથા હરેશભાઈને પણ ઇજાઓ થયેલ હતી જેથી ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેછે




Latest News