મોરબીના મહેન્દ્રનગર ગામે માતાએ ઘરકામ બાબતે સામાન્ય ઠપકો દેતા ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત
મોરબીમાં કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારને સહાય મળે તે માટે કવાયત
SHARE









મોરબીમાં કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારને સહાય મળે તે માટે કવાયત
ગુજરાત સરકાર દ્વારા કોરોનાના લીધે અવસાન પામેલા લોકોના પરિવારને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે ત્યારે મોરબીના માજી ધારાસભ્ય દ્વારા લોકોને મદદરૂપ થવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને સહાય મેળવવા માટે જે ફોર્મ ભરવાના છે તેના માટેની જરૂરી માહિતી આપવા માટે તેમજ મદદ કરવા માટે તેઓની ઓફિસે જ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે.
મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ કોરોનામાં દુઃખદ અવસાન પામેલા દિવંગતોને ગુજરાત સરકાર દ્વારા ૫૦૦૦૦ ચુકવવામાં આવશે આ પ્રકારનો ઠરાવ કરવામાં આવેલ છે ત્યારે દિવંગતના પરિવારજન દ્વારા એક ફોર્મ ભરવાનું છે સાથે આધારકાર્ડની નકલ (અરજદાર-વારસદારની તથા અવસાન પામેલા દિવંગતની), રહેણાંકનો પુરાવો, કોરોના રિપોર્ટની તારીખ તથા અવસાનની તારીખ, કોરોનામાં થયેલ મૃત્યુનું પ્રમાણપત્ર, સહાય મેળવનાર વારસદારની બેન્ક ખાતાની વિગત અને મોબાઇલ નંબર આપવાના છે આ ફોર્મ ભરીને કલેક્ટર કચેરીએ આપવાનું છે અને તેમાં કોઈ અડચણ હોય તો તેઓની ઓફિસનો સંપર્ક કરવા કહ્યું છે અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૯૭૯૬ ૧૩૪૩૩ અને ૯૮૨૫૬ ૯૨૮૪૪ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.
