મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારને સહાય મળે તે માટે કવાયત


SHARE













મોરબીમાં કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારને સહાય મળે તે માટે કવાયત 

ગુજરાત સરકાર દ્વારા કોરોનાના લીધે અવસાન પામેલા લોકોના પરિવારને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે ત્યારે મોરબીના માજી ધારાસભ્ય દ્વારા લોકોને મદદરૂપ થવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને સહાય મેળવવા માટે જે ફોર્મ ભરવાના છે તેના માટેની જરૂરી માહિતી આપવા માટે તેમજ મદદ કરવા માટે તેઓની ઓફિસે જ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. 

મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ છે કેવૈશ્વિક મહામારી કોવિડ-૧૯ કોરોનામાં દુઃખદ અવસાન પામેલા દિવંગતોને ગુજરાત સરકાર દ્વારા ૫૦૦૦૦ ચુકવવામાં આવશે આ પ્રકારનો ઠરાવ કરવામાં આવેલ છે ત્યારે દિવંગતના પરિવારજન દ્વારા એક ફોર્મ ભરવાનું છે સાથે આધારકાર્ડની નકલ (અરજદાર-વારસદારની તથા અવસાન પામેલા દિવંગતની), રહેણાંકનો પુરાવો, કોરોના રિપોર્ટની તારીખ તથા અવસાનની તારીખ, કોરોનામાં થયેલ મૃત્યુનું પ્રમાણપત્ર, સહાય મેળવનાર વારસદારની બેન્ક ખાતાની વિગત અને મોબાઇલ નંબર આપવાના છે આ ફોર્મ ભરીને કલેક્ટર કચેરીએ આપવાનું છે અને તેમાં કોઈ અડચણ હોય તો તેઓની ઓફિસનો સંપર્ક કરવા કહ્યું છે અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૯૭૯૬ ૧૩૪૩૩ અને ૯૮૨૫૬ ૯૨૮૪૪ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.




Latest News