તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારને સહાય મળે તે માટે કવાયત


SHARE











મોરબીમાં કોરોનામાં અવસાન પામેલા લોકોના પરિવારને સહાય મળે તે માટે કવાયત 

ગુજરાત સરકાર દ્વારા કોરોનાના લીધે અવસાન પામેલા લોકોના પરિવારને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે ત્યારે મોરબીના માજી ધારાસભ્ય દ્વારા લોકોને મદદરૂપ થવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને સહાય મેળવવા માટે જે ફોર્મ ભરવાના છે તેના માટેની જરૂરી માહિતી આપવા માટે તેમજ મદદ કરવા માટે તેઓની ઓફિસે જ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. 

મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ છે કેવૈશ્વિક મહામારી કોવિડ-૧૯ કોરોનામાં દુઃખદ અવસાન પામેલા દિવંગતોને ગુજરાત સરકાર દ્વારા ૫૦૦૦૦ ચુકવવામાં આવશે આ પ્રકારનો ઠરાવ કરવામાં આવેલ છે ત્યારે દિવંગતના પરિવારજન દ્વારા એક ફોર્મ ભરવાનું છે સાથે આધારકાર્ડની નકલ (અરજદાર-વારસદારની તથા અવસાન પામેલા દિવંગતની), રહેણાંકનો પુરાવો, કોરોના રિપોર્ટની તારીખ તથા અવસાનની તારીખ, કોરોનામાં થયેલ મૃત્યુનું પ્રમાણપત્ર, સહાય મેળવનાર વારસદારની બેન્ક ખાતાની વિગત અને મોબાઇલ નંબર આપવાના છે આ ફોર્મ ભરીને કલેક્ટર કચેરીએ આપવાનું છે અને તેમાં કોઈ અડચણ હોય તો તેઓની ઓફિસનો સંપર્ક કરવા કહ્યું છે અને વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૯૭૯૬ ૧૩૪૩૩ અને ૯૮૨૫૬ ૯૨૮૪૪ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News