મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા ગામે તળાવ રિપેરીંગના ૩૯.૯૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરતાં જિજ્ઞાસાબેન મેર


SHARE











વાંકાનેરના જાલીડા ગામે તળાવ રિપેરીંગના ૩૯.૯૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરતાં જિજ્ઞાસાબેન મેર

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે તળાવ રિપેરીંગનું ૩૯.૯૫ લાખનું કામ મંજૂર કરવામાં આવ્યું છે જે કામનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા કરવામાં આવ્યું હતું અને મુખ્ય કામગીરી તરીકે નાની સિંચાઈ યોજનામાં તળાવ ઊંડું કરવાનું, પાળનું જંગલ કટિંગ, માટીકામ અને પિચિંગ કામ કરવામાં આવશે. જેનાથી તળાવની સંગ્રહ ક્ષમતામાં વધારો થાય અને પાળની મજબૂતાઇમાં વધારો થશે. આ તકે આ કામની રજુઆત કરનાર જાલીડા ગામના ભાજપ આગેવાન જગદીશભાઈ રબારી, રતાભાઈ હાડગરડા, ભૂપતભાઈ ભરવાડ, ગોવિંદભાઈ લોહ, લાલાભાઈ ભરવાડ, પ્રવીણભાઈ ભરવાડ, રાજુભાઈ સરધારા, કૌશિકભાઈ ઢોલરીયા તથા ભાજપ અગ્રણી નરેન્દ્રભાઈ સોલંકી અને ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર તાલુકામા પીવાના પાણી અને સિંચાઈના પાણી માટેના તમામ પ્રશ્નોનું નિરાકરણ ગુજરાત સરકારના પાણી પુરવઠા અને સિંચાય વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા પૂરજોશથી કરવામાં આવતું હોય ત્યારે ગામ લોકોએ અને જીજ્ઞાસાબેન મેરે દ્વારા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News