મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી માળીયા (મી)માં આવેલ મીઠા ઉદ્યોગને મોટું નુકષાનળ વીજ પોલ પણ તૂટી પડ્યા


SHARE











મોરબી જીલ્લામાં કમોસમી વરસાદથી માળીયા (મી)માં આવેલ મીઠા ઉદ્યોગને મોટું નુકષાનળ વીજ પોલ પણ તૂટી પડ્યા

મોરબી જિલ્લામાં સોમવારે પડેલા કમોસમી વરસાદના કારણે જુદી જુદી જગ્યાએ નાના મોટી નુકસાની થાય છે ત્યારે જો વાત મોરબીના મીઠા ઉદ્યોગની કરીઓ તો હાલમાં મીઠા ઉદ્યોગમાં તૈયાર પાક હતો તેના ઉપર મીઠું પાણી પડવાના કારણે મીઠાના ઉદ્યોગને નુકસાન થયું છે તેમજ મીઠાના અગરમાં ઊભા કરવામાં આવેલ વીજ પોલ ઘણી જગ્યાએ તૂટી પડ્યા છે જેથી વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયેલ છે.

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મીઠાના અગરો આવેલા છે અને મીઠાના અગરમાં મીઠાની હાલમાં સિઝન ચાલી રહી છે તેવામાં કમોસમી વરસાદ પડવાના કારણે મીઠાના અગરોમાં તૈયાર મીઠાના પાક ઉપર આકાશમાંથી મીઠું પાણી પડ્યું છે જેથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે આ બાબતે મોરબી સોલ્ટ એસો.ના પ્રમુખ દિલુભા જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, માળિયા તાલુકાના બગસરા, જાજાસર, ભાવપર, સૂરજબારી હરીપર સહિતના વિસ્તારોમાં મીઠા ઉદ્યોગમાં કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે અને મીઠાના અગરમાં વરસાદનું પાણી ભરાવાના કારણે મીઠાના તૈયાર પાકને નુકસાન થયું છે. જો કે, કેટલું નુકસાન થયું છે તે હાલમાં કહી શકાય નહીં. અને મીઠાના અગરોમાં ઊભા કરવામાં આવેલા વીજ પોલમાંથી ઘણા વીજ પોલ તૂટી પડ્યા છે જેથી કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયેલ છે. અને વીજ કંપનીના અધિકારીના કહેવા મુજબ માળીયાના હરિપરની આસપાસમાં 10 જેટલા વીજ પોલ તૂટી પડ્યા છે. જેને રીપેર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને અન્ય કોઈપણ જગ્યાએ વીજ પોલ કે વીજ વાયર તૂટી ગયા હશે તો તેને પણ ઝડપથી રિપેર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.






Latest News