મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં આગામી ગુરુ અને શુક્રવારે પાણી વિતરણ અનિયમિત રહેશે: મનપા


SHARE













મોરબી શહેરમાં આગામી ગુરુ અને શુક્રવારે પાણી વિતરણ અનિયમિત રહેશે: મનપા

મોરબીના લોકો પાણી નિયમિત રીતે મળતું રહે તેના માટે મહાપાલિકા દ્વારા મચ્છુ-2 ડેમ હેડ વર્કસ ખાતે 250 એચપી ના નવા 2 પંપ મૂકવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને તેનું કનેક્શન જીડબલ્યુએસએસબીની ચાલુ લાઈનમાં શટડાઉન લઈને કરવાનું છે જેથી કરીને મોરબીમાં આગામી ગુરુ અને શુક્રવારે બે દિવસ પાણી વિતરણ અનિયમિત રહેશે.

મોરબી મહાપાલિકાના અધિકારી જણાવ્યુ છેકે, મચ્છુ-2 ડેમમાંથી મોરબીના લોકોને પીવા માટેનું પાણી સ્પ્લાઈ કરવામાં આવે છે જો કે, ત્યા મહાપાલિકા દ્વારા મચ્છુ-2 ડેમ હેડ વર્કસ ખાતે 250 એચપી ના નવા 2 પંપ મૂકવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામ તા. 14 ના રોજ સવારે 8 થી રાતના 8 સુધીમાં કરવામાં આવશે. જેથી કરીને મચ્છુ-2 ડેમમાંથી પાણી ઉપાડવાની કામગીરી તા. 12 ના બપોરના 12 થી તા. 15 ના રોજ સવારના 6 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી કરીને સમગ્ર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા સામાન્ય થતા 48 કલાક જેટલો સમય લાગશે જેથી તા. 15 અને 16 એટ્લે કે ગુરુ અને શુક્રવારે પાણી વિતરણ અનિયમિત રહેશે.




Latest News