મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીમાં જોન્સનગર પાસે કોઈ કારણોસર બે પરિવાર વચ્ચે છરી-તલવાર જેવા હથિયાર સાથે મારા મારી: ઇનોવા-ઇકો ગાડીમાં કરી તોડફોડ


SHARE













મોરબીમાં જોન્સનગર પાસે કોઈ કારણોસર બે પરિવાર વચ્ચે છરી-તલવાર જેવા હથિયાર સાથે મારા મારી: ઇનોવા-ઇકો ગાડીમાં કરી તોડફોડ

મોરબીમાં જોન્સનગર નજીક મચ્છી પીઠ પાસે જુદા જુદા બે પરિવાર વચ્ચે કોઈ કારણોસર રાત્રીનો સમયે બોલાચાલી અને માથાકૂટનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષોથી હથિયાર વડે મારામારી કરવામાં આવી હતી અને વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી જે બનાવમાં ઈજા પામેલા વ્યક્તિઓને મોરબી તથા રાજકોટ સુધી સારવારમાં લઈ જવામાં આવેલ છે અને આ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાને પહોંચી હતી અને વાતાવરણ તંગ બન્યું હતું જેથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ હતો અને માથાકૂટ કયા કારણોસર કરવામાં આવી હતી તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને ફરિયાદ લેવા માટેની તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ગઈકાલે રાત્રિના સમયે મોરબીમાં બસ સ્ટેશન પાસે આવેલ મચ્છુ પીઠ અને જોન્સનગર નજીક મારા મારિનો બનાવ બન્યો હતો જે બનાવમાં બે પરિવારના લોકો દ્વારા સામ સામે છરી, તલવાર જવા હથિયાર સાથે મારામારી કરવામાં આવી હતી જે ઘટનામાં જા પામેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે કાસમભાઈ નામના વ્યક્તિને રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની જાણ થતા જે તે સમયે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને બંને પક્ષેથી ઈજા પામેલા લોકોને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ સારવાર માટે લઈને આવ્યા હોય સિવિલ હોસ્પિટલ ખાતે પણ વાતાવરણ તંગ બન્યું હતું જેથી ત્યાં પણ પોલીસનો બંદોબસ્ત રાખવામા આવેલ હતી અને જે જગ્યા ઉપર મારામારીનો બનાવ બન્યો હતો ત્યાં ઇનોવા, ઇકો વિગેરે જેવી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી જોકે મારામારીની ઘટના કયા કારણોસર બની હતી તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓ પૈકીની ફરિયાદ લેવા માટેની કવાયત ચાલી રહી છે






Latest News