મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો: રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખની રજૂઆત ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ હળવદ નજીકથી કતલખાને લઈ જવાતી 4 ભેંસને બચાવી, 2.12 લાખનો મુદામાલ કબ્જે: બે આરોપીની ધરપકડ હળવદના જુના અમરાપર ગામે શેરીમાં બાળકના રમવા બાબતે માથાકૂટ કરીને મહિલા અને તેની સાસુને પાઈપથી માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના ડેમ-2 ડેમમાંથી સિંચાઈ માટે નદીમાં પાણી છોડવાનું હાલ મોકૂફ: અધિકારી


SHARE











ટંકારાના ડેમ-2 ડેમમાંથી સિંચાઈ માટે નદીમાં પાણી છોડવાનું હાલ મોકૂફ: અધિકારી

ટંકારા તાલુકાના ડેમ-2 ડેમ નીચેના વિસ્તારમાં આવતા ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે તે માટે થઈને ડેમી-2 ડેમમાંથી આજે નદીમાં પાણી છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે વહીવટી કરણોસર સિંચાઈ વિભાગ દ્વારા આજે ડેમમાંથી પાણી છોડવાનું મોકુફ રાખવામાં આવ્યું હોવાનું સિ઼ચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા સિંચાઈના પાણીની વ્યવસ્થા મળે તો ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર પોતાના ખેતરમાં કરવામાં આવતું હોય છે તેવી જ રીતે ટંકારા તાલુકાના ડેમ-2 નીચેના વિસ્તારમાં આવતા ખેડૂતો દ્વારા ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે ખેડૂતોને નદી અને ચેકડેમમાંથી પાણી મળી રહે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા આજે તા 15 ના રોજ બપોરે 2:00 વાગ્યાથી ડેમી નદીમાં ડેમી-2 ડેમના 6 દરવાજા 1 ફૂટ સુધી ખોલીને પાણી નદીમાં છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વહીવટી કારણોસર ડેમ-2 ડેમમાંથી નદીમાં પાણી છોડવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે તેવું ડેમી-2 ડેમના સેક્શન ઓફિસર નિશીતભાઈ પટેલ પાસેથી જાણવા મળેલ છે






Latest News