મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના ડેમ-2 ડેમમાંથી સિંચાઈ માટે નદીમાં પાણી છોડવાનું હાલ મોકૂફ: અધિકારી


SHARE







ટંકારાના ડેમ-2 ડેમમાંથી સિંચાઈ માટે નદીમાં પાણી છોડવાનું હાલ મોકૂફ: અધિકારી

ટંકારા તાલુકાના ડેમ-2 ડેમ નીચેના વિસ્તારમાં આવતા ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે તે માટે થઈને ડેમી-2 ડેમમાંથી આજે નદીમાં પાણી છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે વહીવટી કરણોસર સિંચાઈ વિભાગ દ્વારા આજે ડેમમાંથી પાણી છોડવાનું મોકુફ રાખવામાં આવ્યું હોવાનું સિ઼ચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા સિંચાઈના પાણીની વ્યવસ્થા મળે તો ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર પોતાના ખેતરમાં કરવામાં આવતું હોય છે તેવી જ રીતે ટંકારા તાલુકાના ડેમ-2 નીચેના વિસ્તારમાં આવતા ખેડૂતો દ્વારા ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે ખેડૂતોને નદી અને ચેકડેમમાંથી પાણી મળી રહે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા આજે તા 15 ના રોજ બપોરે 2:00 વાગ્યાથી ડેમી નદીમાં ડેમી-2 ડેમના 6 દરવાજા 1 ફૂટ સુધી ખોલીને પાણી નદીમાં છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વહીવટી કારણોસર ડેમ-2 ડેમમાંથી નદીમાં પાણી છોડવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે તેવું ડેમી-2 ડેમના સેક્શન ઓફિસર નિશીતભાઈ પટેલ પાસેથી જાણવા મળેલ છે






Latest News