કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો
Breaking news
Morbi Today

ટંકારાના ડેમ-2 ડેમમાંથી સિંચાઈ માટે નદીમાં પાણી છોડવાનું હાલ મોકૂફ: અધિકારી


SHARE











ટંકારાના ડેમ-2 ડેમમાંથી સિંચાઈ માટે નદીમાં પાણી છોડવાનું હાલ મોકૂફ: અધિકારી

ટંકારા તાલુકાના ડેમ-2 ડેમ નીચેના વિસ્તારમાં આવતા ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળે તે માટે થઈને ડેમી-2 ડેમમાંથી આજે નદીમાં પાણી છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે વહીવટી કરણોસર સિંચાઈ વિભાગ દ્વારા આજે ડેમમાંથી પાણી છોડવાનું મોકુફ રાખવામાં આવ્યું હોવાનું સિ઼ચાઇ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેડૂતો દ્વારા સિંચાઈના પાણીની વ્યવસ્થા મળે તો ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર પોતાના ખેતરમાં કરવામાં આવતું હોય છે તેવી જ રીતે ટંકારા તાલુકાના ડેમ-2 નીચેના વિસ્તારમાં આવતા ખેડૂતો દ્વારા ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે ખેડૂતોને નદી અને ચેકડેમમાંથી પાણી મળી રહે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા આજે તા 15 ના રોજ બપોરે 2:00 વાગ્યાથી ડેમી નદીમાં ડેમી-2 ડેમના 6 દરવાજા 1 ફૂટ સુધી ખોલીને પાણી નદીમાં છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વહીવટી કારણોસર ડેમ-2 ડેમમાંથી નદીમાં પાણી છોડવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે તેવું ડેમી-2 ડેમના સેક્શન ઓફિસર નિશીતભાઈ પટેલ પાસેથી જાણવા મળેલ છે






Latest News