મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં રૂ. ૩ કરોડ ૧૫ લાખના ખર્ચે બનનાર વધુ ચાર રોડનું ખાતમુર્હુત કરતાં રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશ મેરજા


SHARE







મોરબી શહેરમાં રૂ. ૩ કરોડ ૧૫ લાખના ખર્ચે બનનાર વધુ ચાર રોડનું ખાતમુર્હુત કરતાં રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશ મેરજા

રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશ મેરજા મોરબી – માળીયા (મીં) વિસ્તારમાં વિકાસને વધુને વધુ વેગ આપીને અસંખ્ય વિકાસના કામો કરાવી રહ્યા છે તે અંતર્ગત આજે મોરબી શહેરમાં વધુ ચાર સોસાયટીઓના રોડનું ખાત મુર્હુત કર્યું હતું. જેમાં (૧) હીરાસરી રોડ અને અવનિ ચોકડી થી ચોકિયા હનુમાનજી મંદિર સુધી (૨) ત્રિકોણ નગર સોસાયટી, કેનાલ રોડ (૩) ન્યુ મારુતિ નગર, વાવડી રોડ, (૪) ધર્મ સૃષ્ટિ સોસાયટી, બાયપાસ રોડ નો સમાવેશ થાય છે. આ તકે મોરબી ભાજપ જિલ્લા પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, તાલુકા પ્રમુખશ્રી અરવિંદભાઈ વાંસદડીયા, શહેર પ્રમુખશ્રી લાખાભાઇ જારીયા, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ગિરીશભાઈ સરૈયા, નગરપાલિકાના પ્રમુખશ્રી કે.કે. પરમાર, ઉપપ્રમુખશ્રી જયરાજસિંહ જાડેજા, કારોબારી અધ્યક્ષશ્રી સુરેશભાઇ દેસાઇ, બાંધકામ સમિતિના ચેરમેનશ્રી દેવાભાઇ અવાડિયા, કાઉન્સિલરશ્રીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બધા કામ અંદાજે રૂ. ૩ કરોડ ૧૫ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે






Latest News