મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના દીઘડીયા નજીક નદીમાં ન્હાવા ગયેલા આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE













હળવદના દીઘડીયા નજીક નદીમાં ન્હાવા ગયેલા આધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદના દીઘડીયા ગામે આવેલ બ્રાહ્મણી નદીમાં આધેડ ન્હાવા માટે ગયા હતા દરમિયાન કોઈ કારણોસર તે નદીના પાણીમાં ડૂબી ગયા હતા જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના મોટાભાઈએ  હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા હંસરાજભાઈ સોમાભાઈ ગડેસા (50) નામના આધેડ દીઘડિયા ગામ નજીક આવેલ બ્રાહ્મણી નદીમાં ન્હાવા માટે ગઈકાલે ગયા હતા દરમિયાન કોઈ કારણોસર નદીના પાણીમાં ડૂબી જવાના કારણે હંસરાજભાઈ ગડેસાની ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતકના મોટાભાઈ વાલજીભાઈ સોમાભાઈ ગડેસા (60) રહે. દિઘડીયા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના લાલપર ગામે રહેતા નરેશભાઈ હરજીભાઈ સોલંકી (25) નામના યુવાનને લધીરપુર રોડ ઉપર કેનાલ પાસે સિરામિક કારખાને નજીક મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી હતી.

અકસ્માતમાં ઇજા

કચ્છના ગાંધીધામ ખાતે રહેતા રાહુલ ભીમસિં રાવત (25) નામના યુવાનને સોખડા ગામના પાટીયા નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના જુના જાંબુડીયા ગામે રહેતા વિજયભાઈ પ્રેમજીભાઈ સોલંકી (25) નામનો યુવાન આંદરણા ગામ પાસેથી બાઇક લઈને જતો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News