મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદના શક્તિનગર ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત, સાત દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE







હળવદના શક્તિનગર ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત, સાત દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

હળવદ તાલુકાના શક્તિનગર ગામે રહેતા યુવાનને સાત દીકરીઓ હતી અને થોડા સમય પહેલા જ તેના ઘરે દીકરાનો જન્મ થયો હતો જો કે, તે દીકરાનો જન્મ અધૂરા મહિને થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ યુવાન અને તેનો પરિવાર હરી ઈચ્છા બળવાન એમ માનીને જીવન રાબેતા મુજબ જીવી રહ્યા હતા જો કે, ગઇકાલે યુવાને તેનું મજૂરી કામ પૂરી કરીને પાછો ઘરે આવી રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને નાના એવા ગામમાં શોકનું મોજું ફરી ગયું હતું.

હાલમાં મળતી માહિતી મુજબ હળવદના શક્તિનગર ગામે રહેતા ભાવેશભાઈ ભટ્ટ (40) મજૂરી કામ કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને ગઇકાલે સાંજે તે પોતાનું કામ પૂરું કરીને પાછા ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું હતું. વધુમાં ગામના લોકો પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક ભાવેશભાઇ ભટ્ટને સંતાનમાં 7 દીકરીઓ છે અને 15 દિવસ પહેલા જ તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો જેથી ભટ્ટ પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ દીકરાનો જન્મ અધૂરા મહિને થયો હોવાથી તેનું મોત નીપજયું હતું અને ત્યારે ભાવેશભાઈ ભટ્ટને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ભટ્ટ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જો કે, છેલ્લા દિવસોથી ભાવેશભાઈ ફરી પાછા રાબેતા મુજબ પોતાનું કામ કરવા લાગ્યા હતા પરંતુ દીકરાના મોતનો આઘાત સહન ન થતાં સોમવારે સાંજના સમયે તેઓ પોતાનું મજૂરી કામ પૂરું કરીને ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી તેમનું મોત નીપજયું હતું અને આ બનાવથી ભટ્ટ પરિવાર તેમજ આખા ગામમાં શોકનું મોજું ફરી ગયું હતું કેમ કે, સાત દીકરીઓને પિતાની છત્રછાયા ગુમાવી છે આજે ભાવેશભાઈની અંતિમક્રિયા કરવામાં આવી હતી ત્યારે તેઓની મોટી દીકરી મિતલ (19)એ મુખાગ્નિ આપીને દીકરા તરીકેની ફરજ પૂરી કરી હતી. 






Latest News