મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના શક્તિનગર ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત, સાત દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE













હળવદના શક્તિનગર ગામે હાર્ટ એટેકથી યુવાનનું મોત, સાત દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

હળવદ તાલુકાના શક્તિનગર ગામે રહેતા યુવાનને સાત દીકરીઓ હતી અને થોડા સમય પહેલા જ તેના ઘરે દીકરાનો જન્મ થયો હતો જો કે, તે દીકરાનો જન્મ અધૂરા મહિને થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ યુવાન અને તેનો પરિવાર હરી ઈચ્છા બળવાન એમ માનીને જીવન રાબેતા મુજબ જીવી રહ્યા હતા જો કે, ગઇકાલે યુવાને તેનું મજૂરી કામ પૂરી કરીને પાછો ઘરે આવી રહ્યો હતો ત્યારે હાર્ટ એટેક આવી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને નાના એવા ગામમાં શોકનું મોજું ફરી ગયું હતું.

હાલમાં મળતી માહિતી મુજબ હળવદના શક્તિનગર ગામે રહેતા ભાવેશભાઈ ભટ્ટ (40) મજૂરી કામ કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને ગઇકાલે સાંજે તે પોતાનું કામ પૂરું કરીને પાછા ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું હતું. વધુમાં ગામના લોકો પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક ભાવેશભાઇ ભટ્ટને સંતાનમાં 7 દીકરીઓ છે અને 15 દિવસ પહેલા જ તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો જેથી ભટ્ટ પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ દીકરાનો જન્મ અધૂરા મહિને થયો હોવાથી તેનું મોત નીપજયું હતું અને ત્યારે ભાવેશભાઈ ભટ્ટને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ભટ્ટ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જો કે, છેલ્લા દિવસોથી ભાવેશભાઈ ફરી પાછા રાબેતા મુજબ પોતાનું કામ કરવા લાગ્યા હતા પરંતુ દીકરાના મોતનો આઘાત સહન ન થતાં સોમવારે સાંજના સમયે તેઓ પોતાનું મજૂરી કામ પૂરું કરીને ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી તેમનું મોત નીપજયું હતું અને આ બનાવથી ભટ્ટ પરિવાર તેમજ આખા ગામમાં શોકનું મોજું ફરી ગયું હતું કેમ કે, સાત દીકરીઓને પિતાની છત્રછાયા ગુમાવી છે આજે ભાવેશભાઈની અંતિમક્રિયા કરવામાં આવી હતી ત્યારે તેઓની મોટી દીકરી મિતલ (19)એ મુખાગ્નિ આપીને દીકરા તરીકેની ફરજ પૂરી કરી હતી. 




Latest News