ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં નિદ્રાધીન અવસ્થામાં જ યુવાનનું મોત


SHARE













મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં નિદ્રાધીન અવસ્થામાં જ યુવાનનું મોત

મોરબી નજીક આવેલ મિનરલના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો યુવાન પથારીમાં સૂતો હતો અને નિદ્રાધીન અવસ્થામાં જ બીમારી સબબ તેનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવળીયાની નજીક અમૂલ મિનરલ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો કાલુરામ રમેશચંદ સરસીયા (39) નામનો યુવાન લેબર કવાર્ટરમાં પથારીમાં સૂતો હતો અને કોઈ કારણોસર બીમારી સંબંધ તેનું નિદ્રાધીન અવસ્થામાં જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં સિટી પોલીસ લાઈનની પાછળના ભાગમાં રહેતા કમલેશભાઈ પ્રેમચંદ વોરા (48) નામનો યુવાન બાઇક લઈને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ગૌરીદડ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અન્ય બાઇક સાથે બાઈક અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થહોવાથી અને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે રહેતા મનિષાબેન રવિભાઈ શેટાણીયા (30) નામની મહિલા કોઈ કારણોસર ફિનાઇલ પી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News