મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

સમાજ માટે લાલબતી: હળવદના નવા દેવળીયા ગામની સીમમાં પિતાએ પબજી ગેમ રમવાની ના પડતાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE













સમાજ માટે લાલબતી: હળવદના નવા દેવળીયા ગામની સીમમાં પિતાએ પબજી ગેમ રમવાની ના પડતાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

સોશિયલ મીડિયા અને મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે ઘણી વખત ચોકાવનારી ઘટનાઓ બનતી હોય છે આવી જ રીતે હળવદના નવા દેવળીયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવાર સાથે બનેલ છે જેમાં યુવાન દીકરો મોબાઇલમાં સતત પબજી ગેમ રમતો હતો અને ખેતી કામમાં ધ્યાન આપતો ન હતો જેથી તે યુવાનને તેના પિતાએ જમતી વખતે કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને મનોમન લાગી આવતા તે યુવાને વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લાના ભીખા ફળીયુ શિવરાજપુરના રહેવાસી અને હાલમાં હળવદના નવા દેવળીયા ગામની સીમમાં રમેશભાઈ અંબારામભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા જયેશકુમાર અર્જુનભાઈ નાયક (23) નામના યુવાને પોતે પોતાની જાતે વાડીની ઓરડીમાં લોખંડની એંગલ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પિતા અર્જુનભાઈ નાયક (46) રહે. હાલ નવા દેવળીયા ગામની સીમ રમેશભાઈ પટેલની વાડી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન મોબાઇલમાં સતત પબજી ગેમ રમતો હતો અને ખેતી કામમાં ધ્યાન આપતો ન હતો જેથી જમતી વખતે તેના પિતાએ તેને કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે ઓરડીની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ બનાવની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એન.એમ. ગોસ્વામી ચલાવી રહ્યા છે




Latest News