મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના ઉપપ્રમુખે કીડીયારુ પુરી કરી જન્મદિવસની ઉજવણી
SHARE










મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના ઉપપ્રમુખે કીડીયારુ પુરી કરી જન્મદિવસની ઉજવણી
મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના ઉપપ્રમુખ દ્રષ્ટિબેન પટેલે જન્મદિવસે 108 નાળિયેરમાં કીડિયારુ ભરીને અલગ અલગ જગ્યાએ આ નાળિયેર મૂકીને જન્મ દિવસની ઉજવણી કરી હતી અને આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ તથા સભ્યો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના સભ્યોના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે અબોલ જીવો માટે અનાજ ભંડારા દ્વારા નાળિયેરમાં કીડીયારું ભરીને અલગ અલગ જગ્યાએ રાખવાથી ઘણા નાના નાના જીવોને ખોરાક મળી શકે એ હેતુથી આ રીતે દ્રષ્ટિબેને જન્મદિવસની ઉજવણી કરી હતી.

