મોરબીમાં દુર્ગાવાહીની દ્વારા દરબારગઢથી ગાંધીચોક સુધી શોર્ય યાત્રા યોજાઇ
મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
SHARE
મોરબીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તા.૩૦-૫ નાં રોજ શ્રી ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર, 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી તથા મિશન નવ ભારત મોરબી જીલ્લાનાં સંયુક્ત ઉપક્રમે "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સંદર્ભે "Beat Plastic Pollution " વિષય ઉપર વધુમાં વધુ લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાનાં ખાસ ઉદ્દેશથી આ દિવસની ઉજવણી કરવામાં આવેલ. શ્રી ગીર ફાઉન્ડેશન ગાંધીનગર, 'આર્યભટ્ટ' લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તથા મિશન નવ ભારત મોરબી જીલ્લા દ્વારા આયોજીત આ પ્લાસ્ટીક મુક્ત ભારત માં સ્વાગત પ્રવચન અશોકભાઈ પાંભર આસિ.પ્રોગ્રામ કોઓર્ડીનેટર ગીર ફાઉન્ડેશન ગાંધીનગર તથા સિંગલ યુઝ પ્લાસ્ટીક પ્રદુષણ નિયંત્રણ માટે PPT દ્વારા સમજ દિપેનભાઈ ભટ્ટ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, તથા વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃતિ અંગે પ્રેકટીકલ સમજ અમુલભાઈ જોષી આચાર્ય શ્રી બંધુનગર પ્રાથમિક શાળા દ્વારા રજુઆત કરવામાં આવી હતી.