મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

વાંકાનેરના વીસીપરામાં નાકમાથી લોહી નીકળ્યા બાદ યુવાનનું મોત નીપજયું


SHARE













વાંકાનેરના વીસીપરામાં નાકમાથી લોહી નીકળ્યા બાદ યુવાનનું મોત નીપજયું

વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા યુવાને કોઈ કારણોસર તેના ઘરે નાકમાંથી લોહી નીકળ્યું હતું ત્યારબાદ તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું જેથી કરીને યુવાનના પિતા તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા શંકરભાઈ હકાભાઇ કુંજવાડિયા (ઉમર ૩૨)ને કોઈ કારણોસર પોતાના ઘરે જ હતા ત્યારે નાકમાંથી લોહી નીકળ્યું હતું અને ત્યારબાદ તે ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને તેના પિતા હકાભાઇ માલાભાઈ કોળી રહે. વાંકાનેર વીસીપરા વાળા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા ત્યાર બાદ વાંકાનેર પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને વાંકાનેર સીટી પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે






Latest News