મોરબીની વિશ્વકર્મા મંદિર વાળી શેરીમાં આવેલ જોખમી મકાન તોડી પાડવા રજૂઆત
મોરબીમાં આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
SHARE










મોરબીમાં આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
મોરબી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મોરબીના વાઘપરા ખાતે આવેલ સતવારા સમાજની વાડીમાં કેમ્પ યોજાયો હતો જેમાં ડો.અરૂણ નિમાવત, ડો.રાધિકા મહેતા, ડો.સુનિલ કાચરોલા તથા સ્ટાફે સેવા આપી હતી. આ કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે મોરબી વૈર્ધ સભા પ્રમુખ ડો.બી.કે.લહેરૂ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં અંદાજિત 150થી વધુ લોકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન સતવારા સમાજની વાડી, કુબેરનાથ મંદિર અને પંચમુખી હનુમાન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં 500થી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા સરકારી આર્યુવેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

