મોરબીમાં અહલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી યોજાઇ
SHARE
મોરબીમાં અહલ્યાબાઈ હોલકરજીની જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી યોજાઇ
મોરબીમાં આજે અહલ્યાબાઈ હોલકરજીની 300 મી જન્મ જયંતી નિમિત્તે બાઈક રેલી યોજાઇ હતી જેમાં ધારાસભ્ય ઉપરાંત જિલ્લા, શહેર ભાજપના હોદેદારો હાજર રહ્યા હતા અને મોરબી શહેરના સામાકાંઠે સોઓરડી ખાતે તેનું સમાપન કરવામાં આવ્યું હતું.
મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને ભુપતભાઈ જારીયાની આગેવાની હેઠળ આજે મોરબી શહેરમાં અહલ્યાબાઈ હોલકરજીની 300 મી જન્મ જયંતી નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી શહેર તથા જિલ્લાના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને આ ઉપરાંત ધારાસભ્યો પણ રેલીમાં જોડાયા હતા તેમજ નગરપાલિકાના માજી સભ્યો સહિતના લોકો મોટી સંખ્યામાં બાઈક રેલીમાં જોડાયા હતા અને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી આ બાઈક રેલી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ મોરબીના રામચોક, ગાંધીચોક, વિજય ટોકીઝ, નવાડેલા રોડ, ત્રિકોણબાગ થઈ સામાંકાંઠા આવેલ સોઓરડીમાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું