મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાચાવદરડા ગામે મજૂરીકામ કરતાં પરિવારની સગીર વયની દીકરીએ ઝેરી દવા પી લેતા મોત


SHARE













માળીયા (મી)ના ચાચાવદરડા ગામે મજૂરીકામ કરતાં પરિવારની સગીર વયની દીકરીએ ઝેરી દવા પી કર્યો આપઘાત

માળીયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની  સગીર વયની દીકરીએ તેના માતા પિતા ને વહેલી સવારે ફોન ઉપર વાત કરીને કામ ઉપરથી ઘરે પાછા આવવા માટે કહ્યું હતું જો કે, માતા પિતાએ ઘરે આવવાની ના પાડી હતી જેથી લાગી આવતાં સગીરાએ પોતે પોતાની જાતે કારખાના પાછળના ભાગમાં આવેલ ખેતરમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી સિવિલે લાવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના ચાચાવદરડા ગામે ખ્રિશા પોલિમર્સ કારખાનાની ઓરડીમાં રહેતા કાળુભાઈ ચમરીયાભાઈ મચાર (55) વાળાની 16 વર્ષની દીકરી અનિતાબેન કાળુભાઈ મચાર એ કારખાને પાછળના ભાગમાં ખેતરમાં પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી જેથી આ બનાવની સગીરાના પિતા કાળુભાઈ મચાર દ્વારા માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક સગીરાએ તારીખ 30/5 ના રોજ વહેલી સવારે તેના માતા-પિતા સાથે ફોનમાં વાત કરી હતી અને પોતાના કામ પરથી ઘરે પાછા આવવા માટે માતા-પિતાને કહ્યું હતું ત્યારે માતા પિતાએ કામ પરથી ઘરે આવવાની ના પાડતા તે બાબતે લાગી આવ્યું હતું જેથી કરીને સગીરાએ ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું છે જે અંગેની માળિયા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News