મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

હળવદમાં વેપારીએ જાતે લમણે ગોળી મારીને કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE







હળવદમાં વેપારીએ જાતે લમણે ગોળી મારીને કર્યો આપઘાતનો પ્રયાસ

હળવદમાં રહેતા વેપારીએ પોતાની રિવોલ્વરમાંથી પોતાના લમણે ગોળી મારી હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવે છે. અને વેપારીએ જાતે પોતાના લમણે ગોળી મારી હોવા અંગેની ચિઠ્ઠી પણ પોલીસને મળી હોવાનો પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે.

હળવદમાં રહેતા બકાભાઈ ઠક્કર (60) નામના વેપારી વૃદ્ધે પોતાની રિવોલ્વરથી જાતે પોતાના લમણે ગોળી મારી હતી જેથી માથામાં ગોળી લાગતા તેઓને ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યારબાદ અમદાવાદ સુધી લઈ જવામાં આવેલ છે વધુમાં પોલીસ સુત્ર પાસેથી મળતી પ્રમાણે વેપારીએ આપઘાત કરવા માટે તેને પોતે પોતાની જાતે પોતાના લમણે ગોળી મારેલ છે અને તે અંગેની એક ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી છે જેથી હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે અને વેપારી વૃદ્ધે કયા કારણોસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.






Latest News