મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ સહિતની ટિમ જાહેર
SHARE









મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ સહિતની ટિમ જાહેર
મોરબી પરશુરામ યુવા ગ્રુપના નવા પ્રમુખની વરણી થોડા સમય પહેલા કરવામાં આવી હતી ત્યાર બાદ વર્ષ 2025-26 ની નવી ટિમ જાહેર કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ, સહમંત્રી, સંયોજક, લિગલ સેલ, સોશ્યલ મીડિયા, ખજાનચી સહિતના હોદેદારોનો સમાવેશ કરવામાં આવેલ છે.
મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ પદે ઉદયભાઈ જે. જોષીની વરણી કરેલ છે અને મહામંત્રી પદે હર્ષભાઈ વ્યાસ, વિશ્વાસભાઈ જોષી તેમજ વિજયભાઈ રાવલ, ઉપપ્રમુખ પદે કૌશલભાઈ મહેતા, ધર્મભાઈ રાવલ, યાજ્ઞિકભાઈ ગામોટ, રાકેશભાઈ પંડ્યા, ભાર્ગવભાઈ દવે, હર્ષભાઈ જાની, સહમંત્રી પદે પ્રશાંકભાઈ જાની, નિરવભાઈ જાની, જીગરભાઈ દવે, દિપભાઈ પંડ્યા, યજ્ઞેશભાઈ રાવલ, કિશનભાઈ મહેતા, સંયોજક પદે નયનભાઈ પંડ્યા, લિગલ સેલમાં મહીધરભાઈ દવે, સોશ્યલ મીડિયામાં ભાર્ગવભાઈ શુક્લા અને ખજાનચી પદે હાર્દિકભાઈ ભટ્ટની વરણી કરવામાં આવેલ છે અને મોરબી પરશુરામ યુવા ગ્રૂપની નવી ટીમે ચોમેરથી આવકાર મળી રહ્યો છે.

