મોરબી નવયુગ બી.એડ્. કોલેજનું ઝળહળતું પરિણામ
SHARE









મોરબી નવયુગ બી.એડ્. કોલેજનું ઝળહળતું પરિણામ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ બી.એડ્. સેમેસ્ટર-4 ના પરિણામમાં મોરબીની નવયુગ બી.એડ્. કોલેજનું ઝળહળતું પરિણામ આવ્યું છે અને ત્યાં અભ્યાસ કરતાં તાલિમાર્થીઓએ શાનદાર પરિણામ સાથે સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
આ સંસ્થાના 100 % પરિણામ સાથે તાલિમાર્થી વ્યાસ માનસીએ 2374/2500 ગુણ (94.96%) મેળવી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તો જિવાણી ખુશાલીએ 2370 ગુણ (94.80%) સાથે દ્વિતીય અને અગોલા પ્રિયાંશીએ 2355 ગુણ (94.20%) સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ ઝળહળતા પરિણામ માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા નવયુગ પરિવાર તરફથી તાલિમાર્થીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા.

