મોરબી: ગુજરાતની પ્રાથમિક શાળાઓના એસએમસીના બેંક એકાઉન્ટ વારંવાર બદલવના હુકમથી આચાર્યોમાં આક્રોશ
વાંકાનેરના રાતડિયા ગામે સમસ્ત માલધારી સમાજ દ્વારા ટ્રેનિંગ બાદ વતન આવતા અગ્નિવીરનું કરાયું સન્માન
SHARE









વાંકાનેરના રાતડિયા ગામે સમસ્ત માલધારી સમાજ દ્વારા ટ્રેનિંગ બાદ વતન આવતા અગ્નિવીરનું કરાયું સન્માન
વાંકાનેરના રાતડિયા ગામે સમસ્ત માલધારી સમાજનું ગૌરવ ઝાપડા રોહિતભાઈ પાંચાભાઈ આર્મીની ટ્રેનિંગ પુરી કરી વતન પરત આવતા સમસ્ત માલધારી સમાજ અને ગામ લોકો દ્વારા તેના સ્વાગત માટે સામૈયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ મહેમાન તરીકે પાપનાશણા ઠાકર મંદિર તરણેતરના મહંત પૂજ્ય રોહિતપુરી બાપુ અને તાલુકા પંચાયતના ચેરમેન જીજ્ઞાસાબેન મેરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સરપંચ રાજુભાઈ મેર, માજી સરપંચ ભગવાનજીભાઈ મેર, ઉપસરપંચ નારણભાઈ ઝાપડા, ખેતાભાઈ ઝાપડા વગેર આગેવાનો સહિત સમસ્ત માલધારી સમાજ અને ગામ લોકો હાજર રહ્યા હતા. ત્યારે જીજ્ઞાસાબેન મેરે દ્વારા અગ્નિવીર યોજના વિશે ગામ લોકોને માહિત આપવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે કે, તમામ અગ્નિવીરોને 48 લાખનું નોન-પ્રીમિયમ વીમા કવર મળે છે, ડ્યુટી દરમિયાન મૃત્યુના કિસ્સામાં 44 લાખ રૂપિયાની વધારાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવે છે, અને તાલીમ દરમ્યાન પહેલા વર્ષમાં 21,000, બીજા વર્ષે 23,000, ત્રીજા વર્ષે 25,000 અને ચોથા વર્ષે 27,000 રૂપિયાનો પગાર આપવામાં આવે છે.

