મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વીરવિદરકા નજીક બનતા કારખાનામાં બાળક ઉપર તલવાર વડે હુમલો: ઇજાગ્રસ્ત રાજકોટ સારવારમાં


SHARE













માળીયા (મી)ના વીરવિદરકા નજીક બનતા કારખાનામાં બાળક ઉપર તલવાર વડે હુમલો: ઇજાગ્રસ્ત રાજકોટ સારવારમાં

માળીયા (મી)ના વીરવિદરકા ગામના પાટીયા પાસે નવા બનતા કારખાનામાં 15 વર્ષના બાળક ઉપર કોઈ કારણસર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી તે બાળકને ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં પ્રથમ તેને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા (મી)ના વીરવિદરકા ગામના પાટીયા પાસે નવા બનતા કારખાનામાં શુભમ અનિલભાઈ બરમુડા (15) નામના બાળક પર કોઈ કારણોસર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને તે બાળકને ઇજા થ હોવાથી ઇજા પામેલા બાળકને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્ત બાળકને ગંભીર ઇજા હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ત્રિમૂર્તિ પાર્કમાં રહેતા મુક્તાબેન કુંવરજીભાઈ અઘારા (57) નામના મહિલા કનૈયા ચા વાળી શેરીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એકટીવાની ઠોકર તેઓને લાગતાં ડાબા પગમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે રહેતા ખીમજી આંબારમભાઈ નકુમ (25) નામના વ્યક્તિને નવલખી ફાટક પાસે પશુરામ મંદિર નજીક બાઇક સ્લીપ થતાં ઈજા થઇ હતી જેથી તેણે સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલથી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.




Latest News