મોરબીમાં વૃક્ષો વાવીને તેનો ઉછેરવા કરવા મહા નગરપાલીકાને ટકોર મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રકો ઉપર પ્રતિબંધ લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ મોરબીમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા આપના પંકજ રાણસરીયા દ્રારા રજુઆત વાંકાનેર તાલુકાના જેતપરડા-મોટા ભોજપરા ગામના ખેડૂતો દ્વારા સોલાર પ્રોજેક્ટના વીજપોલનો વિરોધ મોરબી જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા: કુલ સાત દર્દી સારવારમાં વાંકાનેર શહેર, તાલુકા અને મોરબીમાં વિદેશદારૂની ત્રણ રેડ: 3 બોટલ દારૂ 2 બિયર સાથે ત્રણ શખ્સ પકડાયા, એકની શોધખોળ મોરબીના બેલા ગામ નજીકથી ૨૦૦ લિટર દેશીદારૂ સાથે એક પકડાયો: લીલાપર ગામે ઘર દારૂની ભઠ્ઠી સાથે બે શખ્સ ઝડપાયા વાંકાનેરના તીથવા ગામ નજીક વડસલ તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

હળવદના મેરૂપર ગામનો યુવાન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુમ થયા બાદ શંકાસ્પદ હાલતમાં લાશ મળી


SHARE

















હળવદના મેરૂપર ગામનો યુવાન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુમ થયા બાદ શંકાસ્પદ હાલતમાં લાશ મળી

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મેરૂપર ગામનો યુવાન ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતો હતો અને નોકરી હતો જે યુવાન ગત તા 1 ના રોજ ગુમ થયો હતો અને ત્યાર બાદ તેનો તા 6 ના રોજ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી સમગ્ર પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અને કાલે મંગળવારે તે યુવાનના મૃતદેહનું પીએમ કરવામાં આવશે ત્યાર બાદ તેના મૃતદેહને મેરૂપર ગામે લઈ આવવામાં આવશે.

હળવદના મેરૂપર ગામનો જયદીપસિંહ અજીતસિંહ ડોડીયા (29) નામનો યુવાન છેલ્લા સાતેક વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયામાં હતો અને ત્યારબાદ ત્યાં જ તે નોકરી કરતો હતો અને આ યુવાનના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને લગ્નના ત્રણ મહિના બાદ તે યુવાન પોતાના પત્નીને સાથે લઈ ગયો હતો અને બંને સિડનીમાં રહેતા હતા. જો કે, જયદીપસિંહ ડોડીયા ગત તા. 1 જુનના રોજ રાત્રીના નોકરીએ ગયો હતો અને બાદમાં તે પાછો આવેલ ન હતો જેથી તેના પત્નીએ 2 જૂનના રોજ જયદીપસિંહ ડોડીયા ગુમ થયાની ફરિયાદ ત્યાં નોંધાવી હતી. જે અંગેના સમાચાર પણ ત્યાંના મીડીયામાં આવ્યા હતા ત્યારબાદ તા. 6 જૂનના રોજ જયદીપસિંહ ડોડીયા જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં ઘરની બાજુમાંથી નીકળી નદીના કાંઠેથી જ તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો જેથી તેના પત્નીને બોલાવીને તેના મૃતદેહની ઓળખ કરાવવામાં આવી હતી. હવે તા 10 ને મંગળવારે જયદીપસિંહ ડોડીયાના મૃતદેહનું પીએમ ત્યાં કરવામાં આવશે ત્યાર બાદ તેના મૃતદેહને હળવદના મેરૂપર ગામે લઈ આવવામાં આવશે અને તેના માટે મૃતક યુવાનના પરિવારજને દુતાવાસ અને રાજ્ય તથા કેન્દ્ર સરકારને જાણ કરી છે અને મૃતદેહને જલ્દીથી વતન લાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.






Latest News