માળીયા (મીં)ના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી ફરાર આરોપી ઝડયાયો મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો મોરબીમાં જાગરણની રાતે મહીલા સલામતી માટે આખી રાત હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ ચતુર્થ સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્સવ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર દરવાજા પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા કારનો ભુક્કો, કોઇ જાનહાનિ નહી


SHARE

















વાંકાનેરના બાયપાસ રોડ ઉપર પુલનું કામ ચાલી રહ્યું છે જેથી છેલ્લા ઘણા મહિનાથી ભારે વાહન સહિતનો ટ્રાફિક વાંકાનેર શહેરની મધ્યમાંથી પસાર થઈ રહ્યો છે દરમિયાન આજે બપોરના સમયે કારચાલક પોતાની કાર લઈને પસાર થતો હતો ત્યારે ડમ્પર ચાલકે તેની કારને હડફેટે લેતા કારની બંને બાજુના દરવાજા અને બોડીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જોકે સદનસીબે અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી.

વાંકાનેર શહેરમાં આવેલ સિંધાવદર દરવાજા પાસે એક્સિસ બેન્ક સામેથી આજે બપોરના સમયે કાર નંબર જીજે 36 એસી 7187 નો ચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે તેની કારને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં કારમાં બંને બાજુએ દરવાજા તથા બોડીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જો કે, અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાના હવાલા વાળું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો છે જેથી આ બનાવની ભોગ બનેલ કાર ચાલક દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે ગત ચોમાસાના સમયગાળા દરમિયાન વાંકાનેરના બાયપાસ રોડ ઉપર આવેલ પાંચસીયા વાળો પુલ નમી ગયો હતો જેથી કરીને તે પુલનું કામ કરવા માટે તેને બંધ કરવામાં આવ્યો છે અને હજુ સુધી ત્યાં કામ થયેલ ન હોવાથી ટ્રક, ડમ્પર સહિતના ભારે વાહનો ટ્રાફિક વાંકાનેર શહેરમાંથી જ પસાર થતો હોય છે અને તેના કારણે ટ્રાફિકજામ અને અકસ્માત જેવી ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હોય છે અને આ સમસ્યાઓમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News