મોરબીમાં વૃક્ષો વાવીને તેનો ઉછેરવા કરવા મહા નગરપાલીકાને ટકોર મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રકો ઉપર પ્રતિબંધ લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ મોરબીમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા આપના પંકજ રાણસરીયા દ્રારા રજુઆત વાંકાનેર તાલુકાના જેતપરડા-મોટા ભોજપરા ગામના ખેડૂતો દ્વારા સોલાર પ્રોજેક્ટના વીજપોલનો વિરોધ મોરબી જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા: કુલ સાત દર્દી સારવારમાં વાંકાનેર શહેર, તાલુકા અને મોરબીમાં વિદેશદારૂની ત્રણ રેડ: 3 બોટલ દારૂ 2 બિયર સાથે ત્રણ શખ્સ પકડાયા, એકની શોધખોળ મોરબીના બેલા ગામ નજીકથી ૨૦૦ લિટર દેશીદારૂ સાથે એક પકડાયો: લીલાપર ગામે ઘર દારૂની ભઠ્ઠી સાથે બે શખ્સ ઝડપાયા વાંકાનેરના તીથવા ગામ નજીક વડસલ તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર દરવાજા પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા કારનો ભુક્કો, કોઇ જાનહાનિ નહી


SHARE

















વાંકાનેરના બાયપાસ રોડ ઉપર પુલનું કામ ચાલી રહ્યું છે જેથી છેલ્લા ઘણા મહિનાથી ભારે વાહન સહિતનો ટ્રાફિક વાંકાનેર શહેરની મધ્યમાંથી પસાર થઈ રહ્યો છે દરમિયાન આજે બપોરના સમયે કારચાલક પોતાની કાર લઈને પસાર થતો હતો ત્યારે ડમ્પર ચાલકે તેની કારને હડફેટે લેતા કારની બંને બાજુના દરવાજા અને બોડીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જોકે સદનસીબે અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી.

વાંકાનેર શહેરમાં આવેલ સિંધાવદર દરવાજા પાસે એક્સિસ બેન્ક સામેથી આજે બપોરના સમયે કાર નંબર જીજે 36 એસી 7187 નો ચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે તેની કારને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં કારમાં બંને બાજુએ દરવાજા તથા બોડીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જો કે, અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાના હવાલા વાળું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો છે જેથી આ બનાવની ભોગ બનેલ કાર ચાલક દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે ગત ચોમાસાના સમયગાળા દરમિયાન વાંકાનેરના બાયપાસ રોડ ઉપર આવેલ પાંચસીયા વાળો પુલ નમી ગયો હતો જેથી કરીને તે પુલનું કામ કરવા માટે તેને બંધ કરવામાં આવ્યો છે અને હજુ સુધી ત્યાં કામ થયેલ ન હોવાથી ટ્રક, ડમ્પર સહિતના ભારે વાહનો ટ્રાફિક વાંકાનેર શહેરમાંથી જ પસાર થતો હોય છે અને તેના કારણે ટ્રાફિકજામ અને અકસ્માત જેવી ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હોય છે અને આ સમસ્યાઓમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News