હળવદના માલણીયાદ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત
SHARE









હળવદના માલણીયાદ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત
હળવદના માલણીયાદ ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વડોદરા સુધી લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવેલ છે.
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના માલણીયા ગામની સીમમાં દયારામ નાનજીભાઈ પરમારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રક્ષાબેન અરવિંદભાઈ રાઠવા (26) નામની મહિલાએ ગત તા. 5/6 ના રોજ સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બે બોટલ દારૂ
મોરબીના આલાપ રોડ ઉપરથી બાઈક ઉપર બે શખ્સ પસાર થતા હતા તેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 470 રૂપિયાની કિંમતની દારૂની બે બોટલો કબજે કરી હતી તથા બાઇક નંબર જીજે 36 એએચ 5000 જેની કિંમત 30,000 રૂપિયા મળીને 30,470 ની કિંમતના મુદ્દામાલ સાથે સાહિલ મુકેશભાઈ જાદવ (19) રહે. રવાપર રોડ ભવાની સોડા પાછળની શેરી મોરબી તથા અભય સુનિલભાઈ સરવૈયા (21) રહે. હુડકો ક્વાર્ટર પરસોતમ ચોક મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

