મોરબી મનપાની સંકલન સમિતિની બેઠક 20 જૂને યોજાશે મોરબી જીલ્લામાં ટ્રાન્સપોર્ટના વાહનો માટે નવી બે સિરીઝમાં ટેન્ડર પ્રકિયા હાથ ધરાશે મોરબીના લખધીરવાસ વિસ્તારમાં કુતરાનો આતંક: 8 થી 10 લોકોને બચકાં ભર્યા સમરસ પંચાયત: મોરબીના કેરાળી ગામે સરપંચ અને સભ્યોમાં પ્રથમ વખત મહિલાઓને તક પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થયું તે પહેલા મોરબીના પ્રદીપભાઇ વાળાએ કરી હતી તેઓની સાથે ટેલિફોનીક વાત ટંકારા નજીક થયેલ લૂંટના ગુનામાં રિકવર કરેલ 72.50 લાખ અને 63 મોબાઈલ મળીને 82.50 લાખનો મુદામાલ એસપીના હસ્તે મૂળ માલીકને પરત મોરબીમાં ડેમુ ટ્રેનની હડફેટે ચડી જતા યુવાનનું મોત મોરબી મહાપાલિકાના ફાયર વિભાગે હોસ્પિટલ-હોટલના સ્ટાફને આપી ફાયરની તાલીમ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામ પાસે સરકારી જમીન ઉપર કરેલા દબાણોને મહાપાલિકાએ તોડી પાડ્યા


SHARE

















મોરબીના શનાળા ગામ પાસે સરકારી જમીન ઉપર કરેલા દબાણોને મહાપાલિકાએ તોડી પાડ્યા

મોરબીના સનાળા ગામ પાસે મહાપાલિકાની હદમાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણને તોડી પાડવા માટે આજે મહાપાલિકાની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બુલડોઝર ફેરવીને કાચા પાકા તમામ દબાણોને તોડી પાડીને સરકારી જમીન ખુલી કરવામાં આવી છે તેની સાથે વરસાદી પાણીના નિકાલમાં નડતરરૂપ થાય તેવા દબાણોને પણ તોડી પાડવામાં આવ્યા હતા.

મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ જાન્યુઆરી મહિનાથી મોરબી શહેરના મુખ્ય માર્ગોની આસપાસમાં કરવામાં આવેલા કાચા પાકા તમામ દબાણોને તોડી પાડવા માટે થઈને મહાપાલીકાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ હાલમાં સ્ટાફ દ્વારા જુદા જુદા રોડની આસપાસમાં કરવામાં આવેલા કાચા પાકા દબાણો દૂર કરવા માટે આસામીઓને પ્રથમ સૂચના આપવામાં આવે ત્યાર બાદ નોટિસ આપવામાં આવે છે અને ત્યાર પછી પણ જો તે દબાણોને દૂર કરવામાં આવ્યા ન હોય તો મહાપાલિકાનું બુલડોર ફેરવીને તે દબાણોને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ કામગીરી આજે સવારથી મહાપાલીકાને ટીમ દ્વારા મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ઓવરબ્રિજના ખૂણા પાસેથી સનાળા ગ્રામ પંચાયત સુધી હાથ ધરવામાં આવી હતી અને ત્યાં રસ્તામાં બનાવમાં આવેલ હોટલ, ઓફિસ વિગેરે જેવા કાચા પાકા દબાણો તોડી પાડ્યા હતા તે તમામ દબાણોને બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા છે અને આવી જ કામગીરી દર બુધવારે મોરબી શહેરના કોઈને કોઈ એક રસ્તા ઉપર ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી કમિશનર દ્વારા પત્રકારોને આપવામાં આવી હતી






Latest News