મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કાયમી જીલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ


SHARE







મોરબી જીલ્લામાં કાયમી જીલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ

મોરબી જીલ્લામાં કાયમી જીલ્લા શિક્ષણાધિકારી નથી અને હાલમાં ચાર્જમાં કામ ચલાવવામાં આવી રહ્યું છે જેથી કરીને સ્કુલ સંચાલકો દ્વારા બેફામ ફી વાલીઓ પાસેથી લેવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં સ્કૂલ સંચાલકો ઉપર અંકુશ લાવવા માટે મોરબી કાયમી જીલ્લા શિક્ષણાધિકારીની નિમણૂક કરવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા મુખ્યમંત્રીની જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં એક વર્ષથી જીલ્લા શિક્ષણાધિકારી નથી અને કચ્છ તેમજ મોરબી જીલ્લાનો સંયુક્ત ચાર્જ એક જ અધિકારી પાસે છે જેથી ખાનગી સ્કુલના સંચાલકો ઉપ૨ જીલ્લા શિક્ષણાધિકારીનો કોઈ પણ પ્રકારનો અંકુશ નથી. છેલ્લા ઘણા સમયથી એફ.આર.સી. વિરૂધ્ધ બેફામ ફી જુદીજુદી સ્કૂલમાં લેવામાં આવી રહી છે. અને અમુક સ્કુલોમાં રમત-ગમતના મેદાનની વ્યવસ્થા નથી, અમુક સ્કુલોમાં નિયમ વિરૂધ્ધના બાંધકામો છે, અમુક સ્કુલોમાં વિદ્યાર્થીઓની સલામતીના પ્રશ્નો છે, અમુક સ્કુલો એડમીશનમાં ભેદભાવની નિતિ અપનાવી રહેલ છે, અમુક સ્કુલો માત્ર નામના મેળવવા હોંશિયાર વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી રહેલ છે. જેના કારણે મોરબી જીલ્લો શિક્ષણક્ષેત્રે વેપાર-ધંધાનું માધ્યમ બની ગયેલ છે. જીલ્લા શિક્ષણાધિકારીનો ખાનગી સ્કૂલના સંચાલકો ઉપર કોઈપણ પ્રકારનો અંકુશ ન હોવાથી તેઓ બેફામ બનેલ છે. જેથી મોરબી જીલ્લામાં કાયમી જીલ્લા શિક્ષણાધિકારીની નિમણુંક કરી બેફામ ફી વસુલી, પ્રવેશ માટે ભેદભાવની નિતિ, નિયમ વિરૂધ્ધના બાંધકામ સહિતના પ્રશ્નોને ધ્યાને લઈ સ્કુલ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News