મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મી) ના જૂના માણાબાથી વોટર પાર્કમાં ન્હાવા જતાં પરિવારની રિક્ષા પલટી મારી જતાં મહિલાનું મોત: બાળક સહિત ત્રણને ઇજા


SHARE













માળીયા (મી) ના જૂના માણાબાથી વોટર પાર્કમાં ન્હાવા જતાં પરિવારની રિક્ષા પલટી મારી જતાં મહિલાનું મોત: બાળક સહિત ત્રણને ઇજા

માળીયા (મી) ના જૂના માણાબા ગામે રહેતા યુવાનની પત્ની અને દીકરો તેના કૌટુંબિક ભાઈ ભાભી સાથે રિક્ષામાં હળવદ નજીક વોટરપાર્કમાં ન્હાવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન પ્રતાપગઢ ગામના પાટીયા નજીક રસ્તામાં રીક્ષા પલટી મારી જવાના કારણે અકસ્માત થયો હતો જેમાં યુવાનની પત્નીને માથા અને  કપાળમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને રીક્ષા ચાલક, રિક્ષા ચોકના પત્ની અને યુવાનના દીકરાને ઇજા થયેલ હતી જેથી તે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)ના જુના માણાબા ગામે રહેતા લલિતભાઈ વલ્લભદાસ નિમાવત (41)ર હાલમાં સીએનજી રીક્ષા નં. જીજે 36 ડબલ્યુ 2309 ના ચાલક અજયભાઈ હરજીવનદાસ નિમાવત રહે. જુના મણાબા વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, જૂના માણાબા ગામથી તેઓના કૌટુંબિક ભાઈ અજયભાઈ નિમાવતની રીક્ષામાં અજયભાઈના પત્ની સાક્ષીબેન તથા ફરિયાદીના પત્ની પદ્માબેન અને ફરિયાદીનો દીકરો ઉત્તમ હળવદ નજીક વોટરપાર્કમાં ન્હાવા માટે જઈ રહ્યા હતા દરમિયાન પ્રતાપગઢ ગામના પાટીયા નજીક રસ્તામાં આવેલ ખાડામાં રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પત્ની પદ્માબેનને માથાની પાછળના ભાગમાં અને કપાળે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે ફરિયાદીના દીકરાને ડાબા પગના પંજામાં ઈજા થઈ હતી અને રીક્ષા ચાલક તથા તેના પત્નીને પણ ખભાના ભાગે ફ્રેકચર જેવી ઇજા થયેલ છે જેથી કરીને તે ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News