મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની સગીરાનું અપહરણ કરનાર અંજારના શખ્સની ધરપકડ


SHARE













મોરબીની સગીરાનું અપહરણ કરનાર અંજારના શખ્સની ધરપકડ

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીનું અપહરણ કરી જવામાં આવેલ અને તેણીની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા.જે બાબતે ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી.તે અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ દ્વારા પોકસો, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.અને ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા અપહરણ કરનાર મુબારક ગુલામભાઈ બચડ મિંયાણા (ઉમર ૨૨) રહે.મતવા ફળિયા મસ્જિદ પાસે હેમલાઈ વિસ્તાર અંજાર (કચ્છ) ને પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસે આગળની તજવીજ શરૂ કરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબી કાલિકા પ્લોટ શેરી નંબર-૪ માં રહેતા અનિલ પ્રવીણભાઈ ગણેશજીયા નામના ૩૦ વર્ષના યુવાનને ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર રોડ ક્રિષ્ના સ્કૂલ પાસેથી બાઈકમાં જતા સમયે પડી જતા નિતેશ પ્રભુભાઈ ડાભી નામના ૨૯ વર્ષના યુવાનને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

આધેડ સારવારમાં
મોરબીના રવાપર ગામે ગંગા દર્શન સોસાયટી પાછળ સરદારનગર સોસાયટી વિસ્તારના શ્રીજી પેલેસ ખાતે રહેતા વાઘજીભાઈ પરસોત્તમભાઈ મોરડીયા નામના ૬૧ વર્ષના આધેડને સારવાર માટે અત્રે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે સાયલા-પાળીયાદ રોડ ઉપર વાહન અકસ્માત બનાવ બન્યો હતો.ત્યારબાદ પ્રાથમિક સારવાર સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે લઈ વધુ સારવાર માટે વાઘજીભાઈને અત્રે લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ નજીક બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં આનંદ પ્રભુભાઈ ભોજાણી (૪૩) રહે.નાની રાવલ શેરી સુપર ટોકીઝ પાસે ને ઇજા થતા અત્રે આયુષમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

 

કેદારીયા મારામારી

હળવદના કેદારીયા ગામે રહેતા વિપુલ રણછોડભાઈ રંભાણી નામના ૨૫ વર્ષના યુવાનને ગામમાં થયેલ મારામારીમાં ઈજા થતા સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના રાણેકપર ગામની પાસે બે બાઈક સામસામે અથડાયા હતા.જે બનાવમાં જયપાલ ગોવિંદભાઈ ગોલતર (ઉંમર ૨૦) રહે.રાણેકપર અને વિજયભાઇ જગમાલભાઇ રાઠોડ (ઉમર ૫૫) રહે.હળવદ ને ઇજા થતા બંનેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ સુંદરી ભવાની ગામે બાઈક લઈને જતા સમયે બાઈક આડે અજાણ્યું જનાવર અથડાતાં મધુભાઈ વાલજીભાઈ સાપરા નામના ૬૧ વર્ષના આધેડને સારવાર માટે મોરબી લવાયા હતા.








Latest News