મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની સગીરાનું અપહરણ કરનાર અંજારના શખ્સની ધરપકડ


SHARE







મોરબીની સગીરાનું અપહરણ કરનાર અંજારના શખ્સની ધરપકડ

મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા પરિવારની દીકરીનું અપહરણ કરી જવામાં આવેલ અને તેણીની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા.જે બાબતે ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી.તે અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ દ્વારા પોકસો, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.અને ગણતરીની કલાકોમાં પોલીસ દ્વારા અપહરણ કરનાર મુબારક ગુલામભાઈ બચડ મિંયાણા (ઉમર ૨૨) રહે.મતવા ફળિયા મસ્જિદ પાસે હેમલાઈ વિસ્તાર અંજાર (કચ્છ) ને પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસે આગળની તજવીજ શરૂ કરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબી કાલિકા પ્લોટ શેરી નંબર-૪ માં રહેતા અનિલ પ્રવીણભાઈ ગણેશજીયા નામના ૩૦ વર્ષના યુવાનને ઘર પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર રોડ ક્રિષ્ના સ્કૂલ પાસેથી બાઈકમાં જતા સમયે પડી જતા નિતેશ પ્રભુભાઈ ડાભી નામના ૨૯ વર્ષના યુવાનને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

આધેડ સારવારમાં
મોરબીના રવાપર ગામે ગંગા દર્શન સોસાયટી પાછળ સરદારનગર સોસાયટી વિસ્તારના શ્રીજી પેલેસ ખાતે રહેતા વાઘજીભાઈ પરસોત્તમભાઈ મોરડીયા નામના ૬૧ વર્ષના આધેડને સારવાર માટે અત્રે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે સાયલા-પાળીયાદ રોડ ઉપર વાહન અકસ્માત બનાવ બન્યો હતો.ત્યારબાદ પ્રાથમિક સારવાર સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે લઈ વધુ સારવાર માટે વાઘજીભાઈને અત્રે લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ નજીક બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં આનંદ પ્રભુભાઈ ભોજાણી (૪૩) રહે.નાની રાવલ શેરી સુપર ટોકીઝ પાસે ને ઇજા થતા અત્રે આયુષમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

 

કેદારીયા મારામારી

હળવદના કેદારીયા ગામે રહેતા વિપુલ રણછોડભાઈ રંભાણી નામના ૨૫ વર્ષના યુવાનને ગામમાં થયેલ મારામારીમાં ઈજા થતા સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના રાણેકપર ગામની પાસે બે બાઈક સામસામે અથડાયા હતા.જે બનાવમાં જયપાલ ગોવિંદભાઈ ગોલતર (ઉંમર ૨૦) રહે.રાણેકપર અને વિજયભાઇ જગમાલભાઇ રાઠોડ (ઉમર ૫૫) રહે.હળવદ ને ઇજા થતા બંનેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ સુંદરી ભવાની ગામે બાઈક લઈને જતા સમયે બાઈક આડે અજાણ્યું જનાવર અથડાતાં મધુભાઈ વાલજીભાઈ સાપરા નામના ૬૧ વર્ષના આધેડને સારવાર માટે મોરબી લવાયા હતા.






Latest News