મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ભોજપરા ગામે વાડીએ પડેલ મગફળીનો પાલો-કડબના ઢગલામા આગ ચાંપી દીધી: યુવાનને 70 હજાર જેટલું નુકશાન


SHARE













વાંકાનેરના ભોજપરા ગામે વાડીએ પડેલ મગફળીનો પાલો-કડબના ઢગલામા આગ ચાંપી દીધી: યુવાનને 70 હજાર જેટલું નુકશાન

વાંકાનેર નજીક આવેલ ભોજપરા ગામે યુવાને પોતાની વાડીમાં મગફળીનો પાલો અને જારની કડબના ઢગલો રાખ્યો હતો જે ઢગલામાં તે જ ગામની અંદર રહેતા એક શખ્સે આગ ચાપી દીધી હતી જેથી ખેત પેદાશનો માલ બનીને ખાખ થઈ ગયો હતો જેથી કરીને અંદાજે 65 થી 70 હજાર રૂપિયાનું યુવાનને નુકસાન થયેલ હોય ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે રહેતા અને ખેતીકામ તથા કરિયાણાની દુકાન ચલાવતા એજાજઅહેમદ ઈસ્માઈલભાઈ માથાકિયા (34)એ હાલમાં રામદેવ ઉર્ફે મેહુલભાઈ લાલાભાઇ સારલા રહે. મોટા ભોજપરા તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ભોજપરા ગામે પાદરમાં આવેલી તેની વાડીએ ફરિયાદીએ મગફળીનો પાલો તથા જારની કડબના ઢગલા મૂક્યા હતા તેમાં આરોપીએ કોઈ કારણોસર આગ ચાંપી પીધી હતી જેથી ફરિયાદીને ખેતપેદાશનું નુકસાન થયેલ છે જેથી અંદાજે 65 થી 70 હજારનું નુકસાન થયું હોવાની યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.








Latest News