મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસેથી યુવતી ગુમ


SHARE











મોરબીના ઊંચી માંડલ પાસેથી યુવતી ગુમ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઉંચી માંડલ ગામ પાસે કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ જૂનાગઢના પરિવારની યુવતી ગુમ થઈ ગઈ હોય પિતા દ્વારા જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા ગુમશુધા નોંધ દાખલ કરી ગુમ થયેલ યુવતીને શોધવા તજવીજ શરૂ કરવામાં આવી છે. 

મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ જૂનાગઢના મેંદરડા તાલુકાના લીલવા ગામના વતની અને હાલ મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામે આવેલ કુમાર પોલીમર્સ નામના યુનિટમાં લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની પૂજાબેન નાથાભાઈ જાદવ નામની ૨૪ વર્ષની યુવતી ગત તા.૧૪-૬ ના સાંજના છએક વાગ્યના અરસામાં કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગઈ હોય પરિવાર દ્વારા ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી.છતાં પણ પૂજાબેનનો પતો લાગ્યો ન હતો.જેથી કરીને હાલમાં તેના પિતા નાથાભાઈ આલાભાઇ જાદવ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને હાલ તાલુકા પોલીસ મથક ખાતે ગુમશુધા નોંધ દાખલ કરવામાં આવી છે.જેની આગળની તપાસ સ્ટાફના એ.એમ.ગરિયા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

ડીઝલ પી જતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ આઈકોન કંપનીમાં કોઈ કારણોસર ડીઝલ પી જવાનો બનાવ બનતા મુસ્તાક વાહિદભાઈ રહે. મહેન્દ્રનગર ને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક બાઇક ડિવાઇડર સાથે અથડાવાનો બનાવ બનેલ જેમાં અનિલભાઈ (ઉંમર ૨૬) રહે. વજેપર ને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલએ લઈ જવાયો હતો.

આધેડ રાજકોટ ખસેડાયા

મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા વસંતભાઈ કલ્યાણજીભાઈ બાવરવા નામના ૫૮ વર્ષના આધેડને કેન્સરની બીમારી હોય તેઓએ પોતાના ઘરે બીમારીથી કંટાળીને ગળેફાંસો ખાવા પ્રયાસ કર્યો હતો અને જાણ થઈ જતા ૧૦૮ વડે તેમને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હોય બનાવ અંગે તાલુકા પોલીસ મથકના સી.કે.પઢિયારે તપાસ કરી હતી.

યુવાન સારવારમાં

લખધીરપુર રોડ ઉપર સોરીસો સીરામીકમાં મજૂરી કામ કરી લેબર કવાટરમાં રહેતા સરદાર કુડીરામ બરેલા (ઉંમર ૩૨) નામનો મજૂર યુવાન છત ઉપરથી પડી ગયો હોય તેને અત્રે સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો.જ્યારે ઓરિસ્સાના વતની અને હાલ મોરબી રહી મજૂરી કામ કરતા મમતાબેન દિનેશભાઈ પ્રધાન નામની ૩૦ વર્ષીય મહિલા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે બેલા રોડ પોલો ચોકડી પાસે બાઈકમાંથી પડી જતા તેઓને અત્રેની આયુષ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News