મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી તરફથી મહિલા સ્વચ્છતા માટે એક અનોખી પહેલ મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર-ઓલવેઝ કેર ટેક સિરામિક દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ 182 લોકોએ કર્યું રક્તદાન મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધ પિતાઓને સ્વાસ્થ્ય કિટ અને કપડાં સહિતની વસ્તુઓ આપી ફાધર્સ-ડે ઉજવાયો  પાસ-2: ગુજરાતની સરકારી શાળાઓમાં માળખાકીય-ભૌતિક સુવિધાઓની માંગ સાથે લડતના મોરબીથી મંડાણ, નવી ટીમ જાહેર કરાઇ વાંકાનેરના બાયપાસ રોડ ઉપર પુલના ગડર અને સ્લેબ માટે ઊભું કરેલ સુપર સ્ટ્રક્ચર પવનના કારણે ધરાશયી મોરબીના ઊંચી માંડલ પાસેથી યુવતી ગુમ માળીયા (મી)ના દહીસરા ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઈકને પાછળથી ટક્કર મારતા એક યુવાનનું મોત મોરબીની પીપળીયા ચોકડીએથી શાકના કેરેટોની આડમાં ઢોરને કતલના ઇરાદે લઈ જવાતા ગૌરક્ષકોએ બચાવ્યા
Breaking news
Morbi Today

મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધ પિતાઓને સ્વાસ્થ્ય કિટ અને કપડાં સહિતની વસ્તુઓ આપી ફાધર્સ-ડે ઉજવાયો 


SHARE

















મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધ પિતાઓને સ્વાસ્થ્ય કિટ અને કપડાં સહિતની વસ્તુઓ આપી ફાધર્સ-ડે ઉજવાયો 

પિતા ભલે સંતાન પ્રત્યે ભાવના વ્યકત ન કરે પણ એના હૃદયમાં સંતાન પ્રત્યે પ્રેમનો ઊંડો સમુદ્ર છુપાયેલો હોવાનો સમાજને મેસેજ આપ્યો

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે પિતા પ્રત્યે આત્મીયની લાગણી દર્શાવતા દિવસ એટલે કે ફાધર્સ-ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સંતાનની અવહેલનાનો ભોગ બનેલા વૃદ્ધાશ્રમના વૃદ્ધ પિતાઓને સ્વાસ્થ્ય કિટ અને કપડાં સહિતની વસ્તુઓ આપી યંગ ઇન્ડિયા ગ્રુપે ફાધર્સ-ડે ની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા ફાધર્સ-ડે ના દિવસે વૃદ્ધાશ્રમમાં એક હૃદયસ્પર્શી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ પિતાઓને સન્માન આપવા અને તેમની સાર સંભાળ રાખવાના ઉદ્દેશ્ય સાથે સ્વાસ્થ્ય કિટ અને કપડાંના સેટ સહિતની જરૂરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું

વૃદ્ધાશ્રમના વૃદ્ધ પિતાઓને પોતાના જ વડીલ સમજીને યંગ ઈન્ડિયા ગ્રૂપના તમામ સભ્યોએ તેમની સાથે સમય વિતાવ્યો હતો. તેમની સાથે મન મૂકીને વાતચીત કરી હતી અને તેમના અનુભવોને સાંભળ્યા હતા. ફાધર્સ-ડેની ઉજવણી દરમિયાન વૃદ્ધોને આપવામાં આવેલી સ્વાસ્થ્ય કિટમાં આરોગ્ય સંબંધિત જરૂરી ચીજવસ્તુઓ અને કપડાંનાનો સમાવેશ થાય છે.જેનો ઉદ્દેશ તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવાનો છે.તે ઉપરાંત કાર્યક્રમમાં વૃદ્ધો માટે મનોરંજન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે યંગ ઈન્ડિયા ગ્રૂપના સંસ્થાપક ડો.દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, તેમની સંસ્થાના આ પ્રયાસે સમાજમાં વૃદ્ધો પ્રત્યે સેવાભાવ અને સન્માનનું મહત્વ દર્શાવ્યું છે.આ ઉજવણીએ વૃદ્ધ પિતાઓને માત્ર ભૌતિક સહાય જ નહીં, પરંતુ ભાવનાત્મક ટેકો અને સન્માન પણ પ્રદાન કર્યું છે.






Latest News