મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર-ઓલવેઝ કેર ટેક સિરામિક દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ 182 લોકોએ કર્યું રક્તદાન
SHARE









મોરબીમાં ઉમા ટાઉનશિપ પરિવાર-ઓલવેઝ કેર ટેક સિરામિક દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ 182 લોકોએ કર્યું રક્તદાન
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપની બાજુમાં યુનિક સ્કૂલ ખાતે આજે ઓલવેઝ કેર ટેક સિરામિક ગ્લેઝ કમ્પાઉન્ડ તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા 12 માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા જરૂરિયાત મંદ દર્દી નારાયણને તાત્કાલિક રક્ત મળી રહે તેવી ભાવના સાથે રક્તદાન કર્યું હતું જેથી કરીને સવારના 8 થી બપોરના 1 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુલ મળીને 182 જેટલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રક્તદાન કેમ્પમાં મનુભાઈ જાકાસણીયા નામના રક્તદાતાએ 74 મી વખત રક્તદાન કર્યું હતું અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે થઈને જે કોઈ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું તેમનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

