મોરબીના મકનસર પાસે અકસ્માત સર્જીને મહિલાનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ
મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત
SHARE









મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત
મોરબીમાં રહેતા આગેવાને રાજ્યના કૃષિ મંત્રીને રાજ્યના આવેલ તમામ ખેતીની જમીનનું પરીક્ષણ કરવા માટેની રજૂઆત કરેલ છે અને જે તે વિસ્તારમાં જમીનને અનુરૂપ પાકનું વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થશે અને ઉપજ નીપજ સારી આવવાથી સરકારને પણ ફાયદો થશે.
મોરબીમાં રહેતા વકીલ કરશનભાઇ ભરવાડ દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં ખેતીલાયક જમીન આવેલ છે ત્યાં ખેતી પેદાશ માટે ખેતીની જમીનનું રાસાયણિક અને વૈજ્ઞાનિક ઢબે લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવું જોઈએ અને અહીની જમીનને અનુરૂપ કૃષિ વાવેતર કરવામાં આવે તો જમીનમાં ઓછા પાણી, ઓછા ખાતર અને વહેલા સમયમાં ઉપજ નીપજ અને સારો પાક મળી શકે તેમ છે.
વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, રાજ્યમાં અમુક જિલ્લાઓમાં રેતાળ જમીન, અમુક જિલ્લાઓમાં લાલ માટીની જમીન, અમુક જિલ્લાઓમાં સફેદ માટેની જમીન, અમુક જિલ્લાઓમાં કાળી માટીની જમીન, અમુક જિલ્લાઓમાં પથ્થરાળ જમીન અને અમુક જિલ્લાઓમાં ખનીજ લાયક જમીનો હોય આમ સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેતીલાયકની જમીન જુદી જુદી રીતની અને પ્રકારની છે જેથી ખેતીની જમીનની વૈજ્ઞાનિક રીતે લેબોરેટરી કરી તપાસણી કરીને પાકનું વાવેતર કરવામાં આવે તો પાક સારો ઉગે અને ઓછા પાણીએ ઓછા ખાતરે વધુ ઉપજ નીપજ મળે તેમ છે અને તો ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બનશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી.

