વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત


SHARE











મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત

મોરબીમાં રહેતા આગેવાને રાજ્યના કૃષિ મંત્રીને રાજ્યના આવેલ તમામ ખેતીની જમીનનું પરીક્ષણ કરવા માટેની રજૂઆત કરેલ છે અને જે તે વિસ્તારમાં જમીનને અનુરૂપ પાકનું વાવેતર કરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થશે અને ઉપજ નીપજ સારી આવવાથી સરકારને પણ ફાયદો થશે.

મોરબીમાં રહેતા વકીલ કરશનભાઇ ભરવાડ દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, રાજ્યમાં ખેતીલાયક જમીન આવેલ છે ત્યાં ખેતી પેદાશ માટે ખેતીની જમીનનું રાસાયણિક અને વૈજ્ઞાનિક ઢબે લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવું જોઈએ અને અહીની જમીનને અનુરૂપ કૃષિ વાવેતર કરવામાં આવે તો જમીનમાં ઓછા પાણી, ઓછા ખાતર અને વહેલા સમયમાં ઉપજ નીપજ અને સારો પાક મળી શકે તેમ છે.

વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, રાજ્યમાં અમુક જિલ્લાઓમાં રેતાળ જમીન, અમુક જિલ્લાઓમાં લાલ માટીની જમીન, અમુક જિલ્લાઓમાં સફેદ માટેની જમીન, અમુક જિલ્લાઓમાં કાળી માટીની જમીન, અમુક જિલ્લાઓમાં પથ્થરાળ જમીન અને અમુક જિલ્લાઓમાં ખનીજ લાયક જમીનો હોય આમ સમગ્ર ગુજરાત રાજ્યમાં ખેતીલાયકની જમીન જુદી જુદી રીતની અને પ્રકારની છે જેથી ખેતીની જમીનની વૈજ્ઞાનિક રીતે લેબોરેટરી કરી તપાસણી કરીને પાકનું વાવેતર કરવામાં આવે તો પાક સારો ઉગે અને ઓછા પાણીએ ઓછા ખાતરે વધુ ઉપજ નીપજ મળે તેમ છે અને તો ગુજરાતના ખેડૂતો પણ સમૃદ્ધ બનશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી.






Latest News