મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ગામે કુદરતી હાજતે ગયેલ વૃદ્ધનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE











વાંકાનેરના સિંધાવદર ગામે કુદરતી હાજતે ગયેલ વૃદ્ધનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસે કાસમપરામાં પાણીની કેનાલ પાસે વૃદ્ધ કુદરતી હાજતે ગયા હતા અને અકસ્માતે તેઓ કેનાલમાં પડી જતા કેનાલમાં વરસાદી પાણી ભરેલ હોય તેમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલ લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવરન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના સિંધાવદર ગામે કાસમપરામાં રહેતા આહમદભાઇ હૈયાતભાઇ પરાસરા (66) નામના વૃદ્ધ કેનાલ પાસે કુદરતી હાજતે ગયા હતા અને અકસ્માતે કેનાલમાં પડી ગયા હતા ત્યારે કેનાલમાં વરસાદી પાણી ભરેલ હોવાથી તે પાણીમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મકસુદભાઇ મહમદભાઇ પરાસરા (35) રહે. કાસમપરા સિંધાવદર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા રીનાબેન જયેશભાઈ (30) નામની મહિલાને ઘરે હતી ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે

વૃધ્ધ સારવારમાં

મોરબીના બગથળા ગામે રહેતા કાંતિભાઈ પ્રેમજીભાઈ વાંસડિયા (74) નામના વૃદ્ધ નિત્યાનંદ સોસાયટી રાજનગર પાસે બાઈકમાંથી પડી ગયા હતા જેથી તેને ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીમાં રોયલ પાર્ક ખાતે રહેતા હરેશભાઈ શંકરભાઈ ચાવડા નામના વ્યક્તિનું બાઇક બેલ ગામ નજીક સ્લીપ થઈ ગયું હતું જેથી તેઓને ઇજા થતાં સારવારમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે. 






Latest News