મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું બેભાન અવસ્થામાં મોત


SHARE











વાંકાનેરમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવારમાં ખસેડાયેલા યુવાનનું બેભાન અવસ્થામાં મોત

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે મહાકાળી માતાજીના મંદિરની પાછળના ભાગમાં યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાંથી તેને પાછા ઘરે લઈ ગયા હતા ત્યાર બાદ યુવાનને શ્વાસ લેવા તકલીફ થતી હતી જેથી તેને રાજકોટ લઈ જતા હતા ત્યારે તે યુવાન રસ્તામાં બેભાન થઈ જતાં તેને વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા ત્યાં તેને ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ આરોગ્યનગરમાં રહેતા હરેશભાઈ કુકાભાઈ સિહોરા (46) નામના યુવાને ગત તા. 6/6/ 25 ના રોજ ગાયત્રી મંદિર પાસે આવેલ મહાકાળી મંદિરની પાછળના ભાગમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને ઘરે પાછા લઈ ગયા હતા દરમ્યાન ગઈકાલે બપોરના સમયે આ યુવાનને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાના કારણે તેને રાજકોટ સારવાર માટે લઈને જતાં હતા તેવામાં રાજકોટ નજીક પહોચતા તે યુવાન બેભાન થઈ ગયો હતો જેથી તેને પાછા વાંકાનેરની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા રાજારામ ભક્તિરામ દુધરેજીયા (35) નામનો યુવાન વરડુસર નજીક ઊંચાઈ ઉપરથી પડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

હળવદ તાલુકાના ઇસનપુર ગામે જયેશભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિલીપભાઈ રમણભાઈ ભીલ (22) નામના યુવાનને વાડીએ હતો ત્યારે ડાબા પગે સાપ કરડી જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હળવદની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી તેને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News