લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા પાસે મહાકાળી આશ્રમમાં તસ્કરોના ધામા: બે મંદિરની દાનપેટીમાંથી રોકડા 52,000 ની ચોરી


SHARE

















હળવદના ચરાડવા પાસે મહાકાળી આશ્રમમાં તસ્કરોના ધામા: બે મંદિરની દાનપેટીમાંથી રોકડા 52,000 ની ચોરી

હળવદના ચરડવા ગામ પાસે આવેલ મહાકાળી આશ્રમમાં રાત્રિના સમય દરમિયાન કોઈ અજાણ્ય બે શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આશ્રમની અંદર આવેલ જુદા જુદા મંદિર પાસે મૂકવામાં આવેલ દાન પેટીમાં રહેલ આશરે 52,000 જેટલી રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બાબતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં અગાઉ તસ્કરોએ ધામા નાખ્યા હતા અને મંદિરમાં માતાજી ઉપર રાખવામાં આવેલ ચાંદીના છતર સહિત કિંમતી મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી ત્યારબાદ વધુ એક વખત મહાકાળી આશ્રમને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવેલ છે અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે જે બાબતે મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસે આવેલ ગિરિરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલા (32)એ અજાણ્યા શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 23/6 ના રાત્રીના 10:30 થી લઈને બીજા દિવસે સવારના 4:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મંદિરમાં પ્રવેશ કરીને આશ્રમમાં આવેલ કાળભૈરવ મંદિર તથા મહાદેવ મંદિર બંને મંદિરમાં મૂકવામાં આવેલ દાન પેટીની ચોરી કરવામાં આવેલ અને જેથી કુલ મળીને આસરે 52 હજારની રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે તેવી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

ટંકારા તાલુકાના છતર ગામે રહેતા અને કામ કરતા સોમાભાઈ ઈશ્વરભાઈ ઠાકોર (42) નામના યુવાનને વાડીએ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

રાપર કચ્છના ભીમદેવડી ખાતે રહેતા સુરેશ ટપુભાઈ (18) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હોવાના કારણે તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News