મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા પાસે મહાકાળી આશ્રમમાં તસ્કરોના ધામા: બે મંદિરની દાનપેટીમાંથી રોકડા 52,000 ની ચોરી


SHARE













હળવદના ચરાડવા પાસે મહાકાળી આશ્રમમાં તસ્કરોના ધામા: બે મંદિરની દાનપેટીમાંથી રોકડા 52,000 ની ચોરી

હળવદના ચરડવા ગામ પાસે આવેલ મહાકાળી આશ્રમમાં રાત્રિના સમય દરમિયાન કોઈ અજાણ્ય બે શખ્સ દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આશ્રમની અંદર આવેલ જુદા જુદા મંદિર પાસે મૂકવામાં આવેલ દાન પેટીમાં રહેલ આશરે 52,000 જેટલી રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બાબતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં અગાઉ તસ્કરોએ ધામા નાખ્યા હતા અને મંદિરમાં માતાજી ઉપર રાખવામાં આવેલ ચાંદીના છતર સહિત કિંમતી મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી ત્યારબાદ વધુ એક વખત મહાકાળી આશ્રમને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવેલ છે અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે જે બાબતે મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસે આવેલ ગિરિરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલા (32)એ અજાણ્યા શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 23/6 ના રાત્રીના 10:30 થી લઈને બીજા દિવસે સવારના 4:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મંદિરમાં પ્રવેશ કરીને આશ્રમમાં આવેલ કાળભૈરવ મંદિર તથા મહાદેવ મંદિર બંને મંદિરમાં મૂકવામાં આવેલ દાન પેટીની ચોરી કરવામાં આવેલ અને જેથી કુલ મળીને આસરે 52 હજારની રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે તેવી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

ટંકારા તાલુકાના છતર ગામે રહેતા અને કામ કરતા સોમાભાઈ ઈશ્વરભાઈ ઠાકોર (42) નામના યુવાનને વાડીએ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

રાપર કચ્છના ભીમદેવડી ખાતે રહેતા સુરેશ ટપુભાઈ (18) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હોવાના કારણે તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News