મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જી બાળકનું મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક અકસ્માત સર્જી બાળકનું મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર ત્રાજપર નજીક સર્વિસ રોડ ઉપર અકસ્માત સર્જ્યો હતો જે બનાવમાં રિક્ષામાં બેઠેલા મુસાફર યુવાનનો જમણો હાથ કપાઈ ગયો હતો અને તેના દીકરાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો જોકે, તે બાળકનું પણ સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકની માતાએ રીક્ષા ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશમાં રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સોલારી સીરામીક કારકાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નેહાબેન પીન્ટુભાઇ બરનવાલ (30) નામની મહિલાએ રીક્ષા નંબર જીજે 36 યુ 5114 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ત્રાજપર ચોકડી નજીક સર્વિસ રોડ ઉપર પાર્શ્વનાથ કોમ્પ્લેક્સ પાસેથી તેઓ રિક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 0673 માં તેના પતિ અને બાળક સાથે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાની રિક્ષા બેફિકરાઈથી ચલાવીને ફરિયાદી જે રિક્ષામાં બેઠા હતા તે રીક્ષાને હડફેટ લેતા અકસ્માત થયો હતો બનાવમાં ફરિયાદીના પતિ પીન્ટુભાઇ (44) નો જમણો હાથ કોણી પાસેથી કપાઈ ગયો હતો અને તેના બે વર્ષના દીકરા આયુષને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેને તાત્કાલિક સારવારમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે માસૂમ બાળકનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક બાળકની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના અમરાપર ગામે રહેતા સાગરભાઇ ધરમશીભાઈ ગરચર (29)એ હાલમાં કાર નંબર જીજે 36 એજે 1892 ના ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે પંચાસરથી અમરાપર જવાના રસ્તા ઉપર મેલડી માતાજીના મંદિર પાસે કાર ચાલકે ફરિયાદીના બાઈક નંબર જીજે 36 પી 3293 ને ઠોકર મારતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદી સાગરભાઇને જમણા પગમાં સાથળ, પોચા અને અંગુઠામાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ સાગરભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News