મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત


SHARE







હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચરાડવા ગામમાં ગટરનો પ્રશ્ન છે તેને ઉકેલવામા આવે અને લોકોને ગટરની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે જેથી કરીને હળવદ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ દ્વારા ચરાડવા ગામના ગટરના પ્રશ્ને સુરેન્દ્રનગરના સાંસદને લેખીત રજુઆત કરવામાં આવેલ છે. 

હળવદ તાલુકાનાં ચરાડવા ગામમાં વર્ષોથી ગટરની સમસ્યા છે, રોડ પર ગટરના પાણી ભરાય છે, દુર્ગંધ ફેલાય છે, બીમારીઓ વકરે છે તો પણ અત્યાર સુધી તંત્ર દ્વારા લોકોની સમસ્યાને નજર અંદાજ કરવામાં આવે છે. જેથી કરીને લોકોની સમસ્યાને દૂર કરવા માટે હળવદ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરીચરાડવા ગામના ગટરના પ્રશ્નને ઉકેલવા માટે સાંસદ ચંદુભાઈ શિહોરાને  પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યુ છેકે, કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચરાડવા ગામના પ્રાણ પ્રશ્નોને ધ્યાનમાં લઈને ગામને‌ ગટરની સુવિધા ઉપલબ્ધ કરવામા આવે તેવી માંગ કરેલ છે






Latest News