હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત
SHARE








હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચરાડવા ગામમાં ગટરનો પ્રશ્ન છે તેને ઉકેલવામા આવે અને લોકોને ગટરની સુવિધા આપવામાં આવે તે જરૂરી છે જેથી કરીને હળવદ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ દ્વારા ચરાડવા ગામના ગટરના પ્રશ્ને સુરેન્દ્રનગરના સાંસદને લેખીત રજુઆત કરવામાં આવેલ છે.
હળવદ તાલુકાનાં ચરાડવા ગામમાં વર્ષોથી ગટરની સમસ્યા છે, રોડ પર ગટરના પાણી ભરાય છે, દુર્ગંધ ફેલાય છે, બીમારીઓ વકરે છે તો પણ અત્યાર સુધી તંત્ર દ્વારા લોકોની સમસ્યાને નજર અંદાજ કરવામાં આવે છે. જેથી કરીને લોકોની સમસ્યાને દૂર કરવા માટે હળવદ આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરીએ ચરાડવા ગામના ગટરના પ્રશ્નને ઉકેલવા માટે સાંસદ ચંદુભાઈ શિહોરાને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યુ છેકે, કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચરાડવા ગામના પ્રાણ પ્રશ્નોને ધ્યાનમાં લઈને ગામને ગટરની સુવિધા ઉપલબ્ધ કરવામા આવે તેવી માંગ કરેલ છે

