મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી


SHARE







મોરબીમાં ઘરમાં કબાટના લોક ખોલીને સોનાના દાગીના સહિત 1.93 લાખના મુદામાલની ચોરી

મોરબીમાં આવેલ આંબલીફળીમાં રહેતા યુવાનના રહેણાંક મકાનને અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1,93,500 ની કિંમતના મુદ્દા માલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ સોસાયટી ખાતે રહેતા ઋષિરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (27)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે મોરબીમાં આવેલ આંબલીફળી વિસ્તારમાં તેઓના રહેણાંક મકાનમાં અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને કબાટના લોક ચાવીથી ખોલીને કબાટમાં રાખેલ સોનાની એક લકી તથા સોનાની એક વીટી જેની કુલ કિંમત 73,500 તથા 1.20 લાખ રૂપિયા રોકડા આમ કુલ મળીને 1,93,500 નો મુદ્દામાલ ચોરી કરેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મહિલા સારવારમાં

મોરબીના નાનીવાવડી નજીક કબીર આશ્રમ પાસે ભક્તિનગર-2 માં રહેતા નિશાબા દિલીપસિંહ વાઘેલા (31) નામના મહિલાને જંતુનાશક દવાનો સ્પ્રે શ્વાસમાં જવાના કારણે તાત્કાલિક મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા ખેતાભાઇ દેવશીભાઈ હમીરપરા (36) નામના યુવાનને યદુનંદન ગૌશાળા પાસે ગોપાલ નળીયાના કારખાના નજીક મારામારીના બનાવમાં ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીની શ્રીકૃપા સોસાયટીમાં રહેતા ચંપાબેન રમેશભાઈ ડાંગર (82) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને મહાબલિ હનુમાન મંદિર પાસેથી ઘુનડા રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાને કારણે ઇજા થતાં તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃધ્ધા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાઈન્સનગર સ્કૂલની પાછળના ભાગમાં રહેતા રેવીબેન દિલીપભાઈ ભોજવિયા (60) નામના વૃદ્ધા ભક્તિનગર સર્કલ પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર પડી જવાના કારણે તેમને ઈજા થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News