અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા
SHARE
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબીના કાર્યકર્તાઓએ હાજર રહ્યા
અમદાવાદ કર્ણાવતી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક મળી હતી જેમાં ગુજરાત પ્રાંત મહાસંઘ સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, કિરણભાઈ કાચરોલા, સંદિપભાઈ આદ્રોજા સહિતના હાજર રહ્યા હતા. અને શાળા, બાળકો અને શિક્ષકોની સમસ્યાઓ રજૂ કરી અને સંગઠન દ્વારા ઉકેલવા માટેની પ્રાંત ટીમ સાથે ચર્ચા કરી હતી
જે પ્રશ્નો રજૂ કર્યા હતા તેમાં વર્ષ ૨૦૦૫ પછી નિમણુંક પામેલ શિક્ષકોને જૂની પેંશન યોજનામાં સમાવવા, HTAT મુખ્ય શિક્ષકો સિવાયના 150 ઉપરના વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાના આચાર્યોને વર્ગમાંથી મુક્તિ આપવા તેમજ ચાર્જ એલાઉન્સમાં વધારો કરવો, વર્ષ ૨૦૧૩ માં થયેલ નવ રચિત જિલ્લાઓના શિક્ષકોના જીપીએફના નાણાં જુના જિલ્લામાંથી નવ રચિત જિલ્લામાં ટ્રાન્સફર કરવા, ચૂંટણી પંચની તાજેતરની સૂચના મુજબ બીએલઓને સોંપેલ વિસ્તાર બાબતે પુન: વિચારણા કરવા વગેરે સમસ્યાઓ, પ્રશ્નોની રજુઆત કરી હતી