મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે મોરબી શ્રી જલારામ ધામ ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતી મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ
Breaking news
Morbi Today

મોરબી : દાતાશ્રી દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ


SHARE













મોરબી : દાતા દ્વારા વવાણીયા કન્યા શાળા તથા તાલુકા શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઇ

માળિયા મિયાણા તાલુકાના વવાણીયા ગામના મૂળ વતની એવા દાતાશ્રી એન.ડી.મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોતાની જન્મભૂમિનું ઋણ ચૂકવવા દર વર્ષની દાનપુણ્યની પ્રણાલિકા જાળવી રાખી આ વર્ષે  પણ શ્રી વવાણીયા ગામની કન્યા શાળા તથા તાલુકા પ્રાથમિક શાળામાં ધોરણ બાલ વાટિકાથી ધો.૮ માં અભ્યાસ કરતા આશરે ૫૫૦ જેટલા વિદ્યાર્થી ભાઈ- બહેનોને ખુબ સારી ક્વોલિટી વાળા અર્ધો ડઝન ફૂલસ્કેપ ચોપડા તથા નોટબુક દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત ફ્રી વિતરણ કરી ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડી હતી.આ તકે કન્યા શાળા તથા તાલુકા શાળાના સારસ્વત વૃંદ એવા શિક્ષક ગણ તથા બાળકોના વાલીઓ દ્વારા એન.ડી.મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર દિલીપભાઈ મહેતાની સેવાને બિરદાવીને તેમનો હ્યદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.તેમ શ્રી વવાણીયા તાલુકા શાળાના આચાર્ય હિતેશ ઝાલરિયાએ યાદીમાં જણાવેલ છે.




Latest News