વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી વાંકાનેરના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને જેલ હવાલે કર્યા: ટંકારાના ગાંજાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વૃદ્ધ પાસેથી 18 હજારની રોકડની ચોરી કરવાના ગુનામાં રિક્ષા ચાલક સહિત બેની ધરપકડ: મહિલા સહિત બે આરોપીની શોધખોળ હળવદના ચરાડવા ગામે દીકરાની ગળાટૂંપો આપીને હત્યા કરનારા બાપની ધરપકડ મોરબીમાં જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન સહકારી સંસ્થાઓમાં લોન મેળો તથા સભ્યપદ ડ્રાઈવ યોજાઈ મોરબી 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓ પકડાશે: DYSP મોરબી જલારામ ધામ ખાતે રવિવારે ડો.પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાશે ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ-તાલુકા કોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવા ઝુંબેશ


SHARE

















મોરબી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ-તાલુકા કોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવા ઝુંબેશ

નાલસા તથા MCPC દ્વારા "મીડિયેશન ફોર ધ નેશન" અન્વયે તા ૧ જુલાઈથી ૯૦ દિવસની મિડીયેશન ડ્રાઇવ (મધ્યસ્થીકરણ ઝુંબેશ) શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર મોરબી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા તાલુકા કોર્ટના પડતર કેસોમાં મધ્યસ્થીકરણ કરાવી સુખદ સમાધાન લાવવાના પ્રયત્નો કરવાના છે. જે અંતર્ગત લાગુ પડતા કેસોમાં વધુમાં વધુ સુખદ સમાધાન થાય તે હેતુથી નામદાર કોર્ટમાંથી કેસોને મીડિયેશનમાં રિફર કરવાના પ્રયત્ન કરવાના રહેશે

જેથી તમામ પક્ષકારોને જણાવ્યુ છે કે, તેઓના કેસ જો સમાધાન લાયક કેસોમાં આવતા હોય જેવા કે, લગ્ન જીવનની તકરારોને લગતા કેસો, અકસ્માત વળતરના કેસો, ઘરેલુ હિંસાના કેસો, ચેક બાઉન્સના કેસો, કોમર્શિયલ વિવાદના કેસો, સર્વિસ મેટર, સમાધાન લાયક ફોજદારી કેસો, ગ્રાહક તકરારના કેસો, પાર્ટીશનના દાવાઓ, જમીન સંપાદનના કેસો અને બીજા અન્ય સિવિલ દાવાઓ જેમાં સુખદ રીતે સમાધાન થાય અને કેસ સંપૂર્ણપણે પૂર્ણ થાય તે તમામ કેસો મધ્યસ્થીકરણમાં મુકાવવાના પ્રયત્નો કરવા. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર. ગવાઈ તથા સૂર્યકાંત સાહેબ, કારોબારી અધ્યક્ષ, નાલસા નાઓના માર્ગદર્શન હેઠળ આ કેસોનો ત્વરિત નિકાલ થાય તે હેતુથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેથી લોકોના કેસ જે કોર્ટમાં પડતર હોય તે કોર્ટમાં મીડિયેશનને રિફર કરવા માટે અરજી કરી તે કેસોનો મધ્યસ્થીકરણથી નિકાલ લાવવાના પ્રયત્ન કરવા માટે સંપૂર્ણ સહકાર આપવા માટે વિનંતી કરવામાં આવી છે. જેથી મધ્યસ્થીકરણ ઝુંબેશનો વધુમાં વધુ લાભ લેવા મોરબીના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ અને જિલ્લા કાનુની સેવા સતા મંડળના ચેરમેન પી.વી. શ્રીવાસ્તવ તથા જિલ્લા કાનુની સેવા સતા મંડળના સેક્રેટરી ડી.એ.પારેખે જણાવ્યુ છે.




Latest News